રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર
Breaking news
Morbi Today

મોરબી નવયુગ વિદ્યાલયનો સિતારે નવયુગ-2025 સન્માન સમારોહ-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી નવયુગ વિદ્યાલયનો સિતારે નવયુગ-2025 સન્માન સમારોહ-સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબીમાં શનાળા રોડે આવેલ નવયુગ વિદ્યાલયના વાર્ષિકોત્સવ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ સિતારે નવયુગ:2025” નું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં KG થી ધો. 12 સુધી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ HSC અને SSC બોર્ડમાં પોતાના વિષયમાં 100 ટકા પરિણામ લાવનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દ્વારા જુદીજુદી કૃતિરજૂ કરવામાં આવી હતી. જેમાં સોમનાથના ઇતિહાસની  કૃતિએ તમામ  શ્રોતાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ  કાર્યક્રમના અંતમાં કાશ્મીરના પહેલગામ હુમલામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે, ડૉ. ગુણવંતભાઈ આરદેશના, મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ શૈલેષભાઇ દેત્રોજા, હિમાંશુભાઈ કુંડારીયા, મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસો. પ્રમુખ હરેશભાઈ બોપલિયા, મોરબી જિલ્લા વિહિપના પ્રમુખ જિલેષભાઇ કાલરીયા, મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ નિલેશભાઈ કુંડારીયા, હર્ષદભાઈ કાવર, ડૉ વૈશાલી વડનગરા, ડૉ. મયુર સદાતિયા, ડૉ. વિશાલ રાજપરા, ડૉ. દીપ્તિ કાંજીયા, ડૉ. મેહુલ પનારા, મહેશભાઈ ભોરણીયા ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ સંસ્થાના સુપ્રીમો પી.ડી. કાંજીયા તેમજ ટ્રસ્ટી રંજનબેન કાંજીયા અને બળદેવભાઈ સરસવાડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. અને નવયુગના મૅનેજિંગ ડિરેક્ટર નિલેશભાઈ અધારા, સંતોકીભાઈ, પરેશભાઈ, હસમુખભાઈ, મનોજભાઈ તથા કોરિયોગ્રાફર ભાસ્કરભાઈ સહિતના સ્ટાફમિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.






Latest News