મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથેની ગાડી લઈને નીકળેલ શખ્સની પણ ધરપકડ


SHARE















વાંકાનેરમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથેની ગાડી લઈને નીકળેલ શખ્સની પણ ધરપકડ

વાંકાનેરમાંથી પેલેસ્ટાઇનનો ઝંડો લગાવેલ ગાડી સાથે યુવાન નીકળ્યો હતો અને તેની સાથે બીજી બે ગાડી પણ પસાર થઈ રહી હતી જેમાં લીલા કલરના ઝંડા લગાવવામાં આવ્યા હતા આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને અને જે ગાડીમાં પેલેસ્ટાઇનનો ઝંડો હતો તે ગાડીના ચાલકને પણ પકડવામાં આવેલ છે.

વાંકાનેર શહેરમાં ગત તા. 26/4 ના રોજ રાત્રિના સમયે ત્રણ ગાડીઓ પસાર થઈ હતી જે ત્રણ પૈકીની બે ગાડીમાં લીલા કલરના ઝંડા લગાવવામાં આવ્યા હતા જો કે, સ્વિફ્ટ ગાડીમાં બોનેટ પાસે પેલેસ્ટાઇન દેશનો મોટો ઝંડો લગાવવામાં આવ્યો હતો જે ત્રણેય ગાડીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય ગાડીના ચાલક સામે ગુનો નોંધયેલ હતો અને તે ગુનામાં પહેલા પોલીસે આરોપી યાસીન વાલીમામદ બાયદાણી અને પ્રિન્સ નરેશભાઈ કાકડીયાની પકડ્યા હતા અને હાલમાં વાંકાનેર સિટી પોલીસે જે ગાડીમાં પેલેસ્ટાઇનનો મોટો ઝંડો લગાવવામાં આવ્યો હતો તે ગાડી નંબર સ્વિફ્ટ ગાડી નંબર જીજે 3 પીડી 9211 ના ચાલક નવિદ સાદીકભાઈ પરમાર (22) રહે. ભાટિયા સોસાયટી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે. વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ જે ત્રણ ગાડીમાં ઝંડા લગાવીને આ શખ્સો નીકળ્યા હતા તેમાં અગાઉ પકડાયેલ બે શખ્સ અને હાલમાં પકડાયેલ આરોપી એક બીજાને ઓળખતા પણ નથી. જો કે, ભારત દેશનો નહીં પરંતુ પેલેસ્ટાઇન દેશનો ઝંડો ગાડીમાં લગાવીને કેમ નીકળ્યો તે તપાસનો વિષય છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના શનાળા રોડ છોટાલાલ પેટ્રોલ પંપ પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાઓ થવાથી કુલદીપસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉમર ૨૭) રહે.કુબેરનગરને સિવિલે સારવાર માટે લઈ જવા હતા.જ્યારે છોટાલાલ પંપ પાસે થયેલ મારામારીના બનાવમાં અશ્વિન ઓધવજીભાઈ વરમોરા (૪૨), કૃતિક અશ્વિનભાઈ વરમોરા (૨૨) અને વિજયાબેન ઓધવજીભાઈ વરમોરા (૬૫) રહે.ત્રણેય હનુમંત એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ થઈ હોય તેઓને પણ સારવાર માટે લઈ જવાયા હતા.

વાહન અકસ્માત
મોરબીના વાંકાનેર હાઇવે રફાળેશ્વર ગામે ફાટક પાસે બાઈકમાંથી પડી જતા નંદુબેન રામજીભાઈ શિંગાળા (૪૫) રહે.જેપુર તા.મોરબીને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલે લઈ જવાયા હતા.તેમજ મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૭ માં અજાણ્યા બાઈક ચાલકે સાયકલ સવારને ટક્કર મારતા સાયકલ લઈને જઈ રહેલ રફિકભાઈ અબ્દુલભાઈ મકરાણી (ઉમર ૫૦) રહે.લાતી પ્લોટ પરીમલ ગોડાઉન પાછળને ઇજાગ્રસ્ત હાલતમાં દવાખાને સારવાર માટે લવાયા હતા.જ્યારે ટંકારા તાલુકાના સાવડી ગામના પાટીયા પાસે બાઈક સાથે બાઈક અથડાવાના અકસ્માત બનાવમાં વિશ્વરાજસિંહ ભગીરથસિંહ જાડેજા (૨૫) રહે.બંગાવડી તા.ટંકારા ને ઇજા થતા તેમને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવેલ તેમ પોલીસ સૂત્રે જણાવેલ છે.






Latest News