ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે માતાએ ઘરકામ બાબતે સામાન્ય ઠપકો દેતા ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે માતાએ ઘરકામ બાબતે સામાન્ય ઠપકો દેતા ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત

મોરબીના મહેન્દ્રનગર ગામે વણકરવાસમાં રહેતી યુવતીએ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધેલ છે જેથી તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે વણકરવાસની અંદર રહેતા દયાબેન વિજયભાઈ પરમાર (ઉંમર ૨૧) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે યુવતીના આપઘાતના બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ હેડ કોન્સ્ટેબલ એફ.આઈ. સુમરા ચલાવી રહ્યા છે.વધુમાં મળતી વિગતો મુજબ મૃતક દયાબેનને તેની માતાએ ઘરકામ બાબતે સામાન્ય ઠપકો આપ્યો હતો તે બાબતનું મનમાં લાગી આવતા દયાબેને ઉપરોક્ત અંતિમ પગલુ ભરી લેતા તેણીનું મોત નીપજ્યું હતું.

ઝેરી દવા પીધી

મોરબી નજીકના બહાદુરગઢ ગામની સીમમાં વાડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતાં ભયુભાઈ ભાયલાના પત્ની સાયકુંબેન (૨૫) એ કોઈ કારણોસર વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થવાના કારણે મોરબીની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને તે હાલમાં સંપૂર્ણ ભાનમાં હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી મળી રહી છે અને વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરિણીતાનો લગ્નગાળો એક વર્ષનો છે અને તેને સંતાનમાં કોઈ બાળક નથી.જોકે જાણવા મળ્યા પ્રમાણે પરિણીતાએ પતિ પાસે કોઇકામ માટે ૫૦ રૂપીયા માંગ્યા હતા અને પતિએ પૈસા ન આપતા લાયકુબેને ઝેરી દવા પીધી હતી..! હાલમાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડાંગર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

 






Latest News