મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી : સિરામિક ટાઈલ્સના વેપારીને એક વર્ષની જેલ સજા અને બમણી રકમનું વળતર ચૂકવવા હુકમ


SHARE











મોરબી : સિરામિક ટાઈલ્સના વેપારીને એક વર્ષની જેલ સજા અને બમણી રકમનું વળતર ચૂકવવા હુકમ

મોરબીના આશુતોષ ટાઇલ્સ પ્રા.લી. પાસેથી માલ ખરીદીને અમદાવાદના સિરામિક ટાઇલ્સ ઇમ્પોર્ટ-એક્સપોર્ટના વેપારી સચિન મહાસુખલાલ શાહ, પલ્લવિકા મહાસુખલાલ શાહ તથા રૂપા સચિન શાહ અગાઉ શાલીન સિરામિક નામની ભાગીદારી પેઢી તરીકે ધંધો કરતાં હતા.હાલ ગ્રેફીટી ઈન્ડિયા પ્રા.લી. તરીકે ધંધો કરે છે.

તેમણે કરોડોની કિંમતની સિરામિક ટાઇલ્સ ઉધારીમાં ખરીદીને રૂ.૬૫ લાખ ઉપરાંતની રકમનું ચૂકવણું બાકી રાખી તેની સામે પાર્ટ પેમેન્ટના ૨૫ લાખના બે ચેકો આપેલ હતા.જે પરત થતાં મોરબી કોર્ટમાં ફરિયાદો થયેલ, જે બંને કેસો કોર્ટમાં ચાલી જતાં મોરબીના જ્યુડી.મેજી.ફ.ક. શ્રી સી.વાય.જાડેજા સાહેબની અદાલતે દરેક આરોપીઓને તકસીરવાન ઠરાવીને દરેક કેસમાં એક વર્ષની જેલ સજા તથા ચેકની બમણી રકમ રૂ.૫૦ લાખનું વળતર ૬૦ દિવસમાં ફરિયાદીને ચૂકવવા હુકમ કરેલ છે.જો આરોપીઓ વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ ૯૦ દિવસની વધુ જેલ સજા ફરમાવેલ છે.ફરિયાદી તરફે બી.એન.શેઠ, નિશ શેઠ તથા જાનકીબેન મહેતા રોકાયેલા હતા.






Latest News