મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

હળવદના પલાસણ ગામના યુવાનની જૂના ઝઘડાનો ખાર રાખીને પથ્થરના ઘા મારીને હત્યા


SHARE















હળવદના પલાસણ ગામના યુવાનની જૂના ઝઘડાનો ખાર રાખીને પથ્થરના ઘા મારીને હત્યા

હળવદ તાલુકાનાં ગોલાસણ અને પલાસણ વચ્ચેથી યુવાનની જૂના ઝઘડાનો ખાર રાખીને હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી અને તે યુવાનને પથ્થરના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના દીકરાની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના ગોલાસણ અને પલાસણ વચ્ચે યુવાનની હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી તે બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક વ્યક્તિ પલાસણ ગામના રહેવાસી તળશીભાઈ નાગજીભાઈ વિઠ્ઠલપરા (45) હોવાનું સામે આવ્યું હતું અને તેના માથા અને શરીર ઉપર પથ્થરના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરા વિજયભાઈ તળશીભાઈ વિઠ્ઠલપરા (26)એ ઝાલાભાઇ રામાભાઇ ભરવાડ રહે. પલાસણ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના પિતાને આરોપી સાથે અગાઉ ઝઘડો બોલાચાલી થયેલ હતા જે બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ ફરિયાદીના પિતાને પથ્થર વડે માથાના ભાગે જીવલેઇજાઓ કરીને તેની હત્યા કરેલ છે જેથી કરીને હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News