મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામના ખેડૂતોએ નવી વીજ લાઇનના કામનો કર્યો વિરોધ


SHARE







મોરબીના જેતપર ગામના ખેડૂતોએ નવી વીજ લાઇનના કામનો કર્યો વિરોધ

મોરબીના જેતપર ગામ પાસેથી વીજલાઈન પસાર થઈ રહી છે તેનો ગેઝેટમાં કોઈ ઉલ્લેખ નથી જેથી કરીને ગામના લોકો દ્વારા આ વીજ લાઇનનો વિરોધ કરવામાં આવેલ છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

હાલમાં જેતપર ગામના જે ખેડૂતોએ આવેદનપત્ર આપેલ છે તેમાં જણાવ્યુ છે કે, ખાવડા પુલીંગ સ્ટેશન ફેઝ-૩ પાર્ટ-એ અંતર્ગત રીન્યુએબલ એનર્જીને સ્થળાંતરીત કરવા માટે ભારત સરકારની આંતર રાજ્ય ટ્રાન્સમિશન સ્કીમ હેઠળ 765 KV D/C KPS-2 (GIS)-HALVAD ટ્રાન્સમિશન લાઈન માટેનું કામ કરવામાં આવી રહી છે અને જો કે, ભારત સરકારના ગેઝેટમાં મોરબીના જેતપર ગામનો કોઈ ઉલ્લેખ છે જ નહીં જેથી સરકારની વિદ્યુત લાઈન કંપનીને કામ માટે તા. 1/11/23 ના રોજ શરતોને આધિન મંજુરી આપવામાં આવી હતી. અને તે મંજૂરીમાં પણ જેતપર ગામમાંથી વીજલાઈન પસાર કરવાનો કોઈ હુકમ કરેલ નથી. વિજળી અધિનિયમની કલમ- 68(1) મુજબ મંજુરી મળ્યા બાદ કંપની દ્વારા વિધુત મંત્રાલયમાં પસાર થતા રુટ નો લે-આઉટ આપવામાં આવે અને ત્યાર બાદ ભારત સરકાર દ્વારા મંજુરી આપવામાં આવે અને તેના માટે ગેઝેટ પ્રસિધ્ધ કરવામાં આવે છે તેમાં કયા કયા ગામોમા વીજ લાઈનના ટાવર આવશે તેની માહિતી હોય છે અને આ વિગતવાર ગેઝેટ કરવામાં આવે ત્યાર બાદ વીજ લાઈનના ટાવર પ્રસ્થાપિત કરવા માટે કંપની હકકદાર બને છે જો કે, હાલમાં જે ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં માળિયા તાલુકાના રાપર, પીલુડી, જેતપર ગામ લખવામાં આવ્યા છે. જેમાં મોરબીના જેતપર ગામનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી જેથી પહેલ ગેઝેટમાં સુધારો કરવામાં આવે ત્યાર બાદ વાંધા સૂચનો આવે તેઓ તેના મુદે ચર્ચા કરીને તેનો નિકાલ કરવામાં આવે અને ત્યાર પછી જેતપર ગામની હદમાં જે 20થી વધારે ટાવર આવે છે તેના માટેનું કામ કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરેલ છે.






Latest News