મોરબીમાંથી દારૂ ભરેલ કાર ઝડપાઇ, 5.60 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ
મોરબીના સર્કીટ હાઉસ ખાતે કાલે કોંગ્રેસનાં AICC નાં ઓબ્ઝર્વની પત્રકાર પરિષદ યોજાશે
SHARE








મોરબીના સર્કીટ હાઉસ ખાતે કાલે કોંગ્રેસનાં AICC નાં ઓબ્ઝર્વની પત્રકાર પરિષદ યોજાશે
કાલે મોરબીના સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસનાં AICC નાં ઓબ્ઝર્વ આવી રહી છે ત્યારે તેઓ આગામી સમયમાં નવા સંગઠનાત્મક પરિવર્તન થવાના છે તેને લઈને પત્રકારોની સાથે ચર્ચા કરશે તેવું જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે જણાવ્યુ છે.
સમગ્ર ગુજરાતમાં હાલ જે "સંગઠન સૃજન અભિયાન" ચાલી રહ્યું છે તે અંતર્ગત આવતીકાલ તા 23/4 માં રોજ સવારે 10:00 કલાકે મોરબીના સર્કીટ હાઉસ ખાતે AICC નાં ઓબ્ઝર્વ બી.વી. શ્રીનિવાસજી અને શ્રીમતી શુભાષીની યાદવ તથા તેમની સાથે સહ પ્રભારી ડો.દિનેશભાઈ પરમાર (પૂર્વમંત્રી ગુજરાત સરકાર), શ્રીમાન વાલજીભાઈ દનિચા (પૂર્વ ધારાસભ્ય કચ્છ), હિતેશભાઈ વોરા (પૂર્વપ્રમુખ રાજકોટ જીલ્લા કોંગ્રેસ) અને મનુભાઈ પટેલ (પૂર્વપ્રમુખ સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ) સહિતનાં આગેવાનો ઊપસ્થિત રહેવાના છે અને ત્યાં નવા સંગઠનાત્મક પરિવર્તનને લઈ પત્રકારોની સાથે ચર્ચા કરશે. તેવું મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ પી. ચિખલીયાએ જણાવ્યુ છે.

