મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના સર્કીટ હાઉસ ખાતે કાલે કોંગ્રેસનાં AICC નાં ઓબ્ઝર્વની પત્રકાર પરિષદ યોજાશે


SHARE















મોરબીના સર્કીટ હાઉસ ખાતે કાલે કોંગ્રેસનાં AICC નાં ઓબ્ઝર્વની પત્રકાર પરિષદ યોજાશે

કાલે મોરબીના સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસનાં AICC નાં ઓબ્ઝર્વ આવી રહી છે ત્યારે તેઓ આગામી સમયમાં નવા સંગઠનાત્મક પરિવર્તન થવાના છે તેને લઈને પત્રકારોની સાથે ચર્ચા કરશે તેવું જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે જણાવ્યુ છે.

સમગ્ર ગુજરાતમાં હાલ જે "સંગઠન સૃજન અભિયાન" ચાલી રહ્યું છે તે અંતર્ગત આવતીકાલ તા 23/4 માં રોજ સવારે 10:00 કલાકે મોરબીના સર્કીટ હાઉસ ખાતે AICC નાં ઓબ્ઝર્વ બી.વી. શ્રીનિવાસજી અને શ્રીમતી શુભાષીની યાદવ તથા તેમની સાથે સહ પ્રભારી ડો.દિનેશભાઈ પરમાર (પૂર્વમંત્રી ગુજરાત સરકાર), શ્રીમાન વાલજીભાઈ દનિચા (પૂર્વ ધારાસભ્ય કચ્છ), હિતેશભાઈ વોરા (પૂર્વપ્રમુખ રાજકોટ જીલ્લા કોંગ્રેસ) અને મનુભાઈ પટેલ (પૂર્વપ્રમુખ સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ) સહિતનાં આગેવાનો ઊપસ્થિત રહેવાના છે અને ત્યાં નવા સંગઠનાત્મક પરિવર્તનને લઈ પત્રકારોની સાથે ચર્ચા કરશે. તેવું મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ પી. ચિખલીયાએ જણાવ્યુ છે.






Latest News