માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી નજીક તળાવ કાંઠેથી યુવાનની લાશ મળી: ઇજાના નિશાન હોવાથી હત્યાની આશંકા


SHARE











મોરબીના નાનીવાવડી નજીક તળાવ કાંઠેથી યુવાનની લાશ મળી: ઇજાના નિશાન હોવાથી હત્યાની આશંકા

મોરબીના નાનીવાવડી ગામે આવેલ મંદિરની પાછળના ભાગમાં તળાવ કાંઠેથી યુવાનની મૃત હાલતમાં લાશ મળી આવી છે જે યુવાનના માથા અને શરીર ઉપર ઇજાના નિશાનો જોવા મળી રહ્યા છે જેથી મૃતકના મૃતદેહને પીએમ માટે પ્રથમ મોરબી લાવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે તેને રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા ભાણજીભાઈ મોતીભાઈ મકવાણા (75)મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે નાની વાવડી ગામે આવેલ દશામાના મંદિરની પાછળના ભાગમાં તળાવના કાંઠે તેના દીકરા દિપકભાઈ ભાણજીભાઈ મકવાણા (32)ની મૃત હાલતમાં લાશ પડેલ છે જેથી કરીને તાલુકા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ડી.ડી. જોગેલા સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે મૃતક યુવાનના માથા અને શરીર ઉપર ઇજાના નિશાનો જોવા મળી રહ્યા હોવાથી ફોરેન્સિક પીએમ માટે તેના મૃતદેને રાજકોટ લઈ જવામાં આવેલ છે અને મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

બાળક સારવારમાં

મોરબીના કૂલીનગરમાં રહેતો નવાજ રમજાન ખોખર (4) નામનો બાળક તેના મામા સાથે વીસી ફાટક બાજુ જવાના સ્મશાન રોડ ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થવાના કારણે બાળકને ડાબા હાથમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News