મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું નજીક ન્હાવા ગયેલ યુવાનનું પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત


SHARE













મોરબીના ઘૂટું નજીક ન્હાવા ગયેલ યુવાનનું પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત

મોરબીના ઘૂટું ગામની સીમમાં પેપરમીલની સામેના ભાગમાં આવેલ પાણીના ખાડામાં યુવાને ન્હાવા માટે ગયો હતો દરમિયાન ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામે ક્રિયાન પેટ્રોલપંપની બાજુમાં રહેતા રમણીકભાઈ પ્રાણજીવનભાઈ વીરપરિયા (36) નામનો યુવાન ઘૂટું ગામની સીમમાં વગડિયા વિસ્તારમાં આવેલ રવીશ પેપરમીલ કારખાના સામે પાણીના ખાડામાં ન્હાવા માટે થઈને ગઈકાલે બપોરના સમયે ગયો હતો દરમિયાન કોઈ કારણોસર તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારે આ બનાવની મૃતકના પરિવારજન કિશોરભાઈ વલ્લભભાઈ વીરપરિયા (45) રહે. ઘૂટું વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.






Latest News