સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી: એનડીપીએસના ગુનાના મુખ્ય આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE











મોરબી: એનડીપીએસના ગુનાના મુખ્ય આરોપીનો જામીન ઉપર છુટકારો

માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાંથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન માટે હાઇકોર્ટમા અરજી કરવામાં આવી હતી અને જેમાં બંને પક્ષની દલીલને અંતે આરોપીના જામીન મંજૂર કરવામાં આવેલ છે

માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ નોંધાયેલ હતી કે, આરોપીના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાંથી વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો જેનુ ચોખ્ખુ વજન ૩ કીલો ૯૩૦ ગ્રામ જેની કીંમત રૂપીયા ૩૯,૩૦૦ નો માલ રાખેલ હતો તથા આરોપીઓની અંગજળતી દરમ્યાન મોબાઈલ સાથે મળી આવ્યો હતો જે ગુનામાં આરોપીને માળીયા(મીં) પોલીસે પકડીને મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ (એનડીપીએસ સ્પે.કોર્ટ)માં રીમાંડની માંગણી સાથે રજુ કરતા આરોપીના રિમાન્ડ મંજુર કર્યા બાદ તેને જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હતો અને આરોપી વલીમોહમદ શેરમોહમદ મોવરએ મોરબીના વકીલ દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી. આ જામીન અરજીના કામે બન્ને પક્ષે કાયદાકીય દલીલ અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા તેને ધ્યાને લઈને બન્ને પક્ષની તમામ દલીલોના અંતે સુપ્રીમ કોર્ટે આપેલ જજમેન્ટ 'સંજય ચાદ્દા વિ. સી.બી.આઈ'ને ધ્યાને લઈ આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીને જામીન પર છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપીઓ તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સાવન ડી. મોઘરીયા, મોરબીના વકીલ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.






Latest News