મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

રાપરથી ચોટીલા માનતા પૂરી કરવા જતાં જવાનોને નડ્યો અકસ્માત: માળીયા (મી) નજીક ડમ્પરના ચાલકે હડફેટે લેતા કાકાની નજર સામે કૌટુંબિક ભત્રીજાનું મોત


SHARE











રાપરથી ચોટીલા માનતા પૂરી કરવા જતાં જવાનોને નડ્યો અકસ્માત: માળીયા (મી) નજીક ડમ્પરના ચાલકે હડફેટે લેતા કાકાની નજર સામે કૌટુંબિક ભત્રીજાનું મોત

રાપરથી યુવાન તેના ભાણેજ અને કૌટુંબિક ભત્રીજા સાથે ચાલીને માનતા પૂરી કરવા માટે ચોટીલા જઈ રહ્યો હતો ત્યારે માળીયા (મી) નજીક આવેલ ભિમસર ઓવરબ્રિજ પાસે ડમ્પરના ચાલકે યુવાને તથા તેના કૌટુંબિક ભત્રીજાને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઢીંચણ અને કમરના ભાગે જાઓ થઈ હતી જો કે, તેના ભત્રીજાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં યુવાને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના રાપરમાં બજાર સમિતિની બાજુમાં રહેતા શામજીભાઈ ખોડાભાઈ ગોહિલ (30)એ ડમ્પર નંબર જીજે 12 બીવાય 0002 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, માળીયા મીયાણા નજીક આવેલ ભીમસર ઓવરબ્રિજ પાસેથી તેઓ પોતાના કૌટુંબિક ભત્રીજા દિનેશભાઈ માવજીભાઈ ગોહિલ (24) સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી આરોપીએ પોતાના હવાલા વાળા ડમ્પરને બેફિકરાયથી ચલાવીને ફરિયાદી તથા તેના કૌટુંબિક ભત્રીજાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદી યુવાનને જમણા પગના ઢીંચણના ભાગે તથા કમરના ભાગે સામાન્ય ઇજાઓ થઈ હતી જોકે, દિનેશભાઈને માથાના ભાગે ગંભીર જાઓ થઈ હોવાથી તેનો મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વધુમાં મળતી માહિતી મુજબ શામજીભાઈ ખોડાભાઈ ગોહિલ તેના કૌટુંબિક ભત્રીજા દિનેશભાઈ માવજીભાઈ ગોહિલ તથા ભાણેજ દિપકભાઈ ધરમશીભાઈ મકવાણા અને રવિભાઈ ધરમશીભાઈ મકવાણા અને નવીનભાઈ ધરમશીભાઈ રાઠોડ પોતાના ગામથી ચોટીલા ચામુંડા માતાજીનાં મંદિરે માનતા પૂરતી કરવા માટે પગપાળા ચાલીને જય રહ્યા હતા અને રાત્રિના સમયે લકડિયા બ્રિજ પાસે રોકાયેલ હતા અને દોઢેક વાગ્યાના અરસામ તેઓ ચોટીલા બાજુ જવા માટે રવાના થયેલ હતા ત્યારે ત્યારે દિપકભાઈ, રવિભાઈ અને નવીનભાઈ આગળ નીકળી ગયા હતા જો કે, ફરિયાદી અને તેનો કૌટુંબિક ભત્રીજા દિનેશભાઈ પાછળ આવી રહ્યા હતા તેવામાં સવારે સાતેક વાગ્યાના અરસામાં ભીમસર ઓવરબ્રિજ પાસે ડમ્પરના ચાલકે ફરિયાદી અને તેના કૌટુંબિક ભત્રીજા દિનેશભાઈને હડફેટે લીધેલ હતા અને તે બનાવમાં યુવાનનું મોત નીપજયું છે.






Latest News