વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી તાલુકામથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની સુરતથી ધરપકડ


SHARE











મોરબી તાલુકામથી સગીરાનું અપહરણ કરનાર આરોપીની સુરતથી ધરપકડ

મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામિક કારખાનામાંથી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું જે ભોગબનનારને તાલુકા પોલીસ શોધી કાઢેલ છે અને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પોકસો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાયેલ હતી જેમાં ફરિયાદી જણાવ્યુ હતું કે, બનાવ તા-૦૨/૦૨/૨૦૨૫ ના બપોરના સમયે લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામિક કારખાનામાં બનેલ છે.આ ગુન્હો તા.૨૯/૦૩/૨૦૨૫ ના કલાક ૨૦/૨૩ વાગ્યે જાહેર થયેલ હતો અને આરોપીએ સાહીલ દયારામ ફરીયાદીની સગીરવયની દિકરીને લલચાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ હતા. અને તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ દ્વારા જુદીજુદી ટીમો બનાવીને ભોગબનનારને શોધવા અને આઓરપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં હરદિપસિંહ ઝાલા, કુલદિપભાઇ કાનગડ તથા હરવિજયસિંહ ઝાલાએ ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવીને ભોગબનનાર તથા આરોપીને સુરત શહેર પાંડેસરા ગુ.હા.બોર્ડ ઉમીયા રેસીડેન્સી ખાતેથી શોધી કાઢ્યા હતા અને આરોપી સાહુલ ઉફે સાહિલ દયારામ લોદી (૨૦) રહે. બડેગાવ મશરીયા થાના ગાજીપુર જીલ્લો ફતેપુર ઉતરપ્રદેશ વાળાની ધરપકડ કરેલ છે અને સગીરાને તેના માતા પિતાને સોંપી દેવામાં આવેલ છે 






Latest News