વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં બોગસ પેઢી ઉભી કરવાના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ


SHARE











મોરબીમાં બોગસ પેઢી ઉભી કરવાના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ

મોરબીમાં વર્ષ ૧૯૯૫-૯૬ માં સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોટા સહી-સીકકાઓ, બીલ બુક છાપીને ગોપાલ બ્રધર્સ નામની બોગસ પેઢી ઉભી કરી તેલના ડબ્બાની વંહેચણી કરવાના ગુનામાં ફરીયાદ નોંધાતા પોલીસ ઘ્વારા પાંચ આરોપીઓ વિરુધ્ધ આઇપીસીની કલમ ૪૬૮, ૪૭૧ તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા ૧૯૫૫ ની કલમ કલમ- ૩, ૭ હેઠળનો ગુનો નોંધી ચીફ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું આ કેસ મોરબી ચીફ કોર્ટમાં ચાલી જતાં આ ગુનામાં પાંચેય આરોપીઓને ચીફ કોર્ટે નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે.

જેમાં આરોપી વિનુભાઈ લાખાભાઈ મિયાત્રા અને રમેશભાઈ મેરૂભાઈ કાકરેશા તરફે મોરબીના યુવા વકીલ મીતરાજસિંહ કિશનસિંહ જાડેજા રોકાયેલ હતા, આરોપી પિયુષ મોહનભાઈ સરખેડી, સવજીભાઈ રામજીભાઈ ચૌહાણ અને કાંતીલાલ લખમણભાઈ ભોરણીયા વતી વકીલ આશિષ દયાલજીભાઈ ચાવડા રોકાયેલ હતા. આ કેસમાં આરોપીઓના વકીલોએ કરેલ ધારદાર દલીલો તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કર્યા હતા હતા જેને ધ્યાને લઈને મોરબીની ચીફ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપીઓ તરફે મોરબીના વકીલ મીતરાજસિંહ કે.જાડેજા, આશિષ ડી.ચાવડા, અલ્પેશ પી.હાલપરા, સુરેશ આર.વાધાણી અને બી.સી.વૈષ્નાણી રોકાયેલ હતાં.






Latest News