મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં બોગસ પેઢી ઉભી કરવાના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ


SHARE













મોરબીમાં બોગસ પેઢી ઉભી કરવાના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ

મોરબીમાં વર્ષ ૧૯૯૫-૯૬ માં સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોટા સહી-સીકકાઓ, બીલ બુક છાપીને ગોપાલ બ્રધર્સ નામની બોગસ પેઢી ઉભી કરી તેલના ડબ્બાની વંહેચણી કરવાના ગુનામાં ફરીયાદ નોંધાતા પોલીસ ઘ્વારા પાંચ આરોપીઓ વિરુધ્ધ આઇપીસીની કલમ ૪૬૮, ૪૭૧ તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા ૧૯૫૫ ની કલમ કલમ- ૩, ૭ હેઠળનો ગુનો નોંધી ચીફ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું આ કેસ મોરબી ચીફ કોર્ટમાં ચાલી જતાં આ ગુનામાં પાંચેય આરોપીઓને ચીફ કોર્ટે નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે.

જેમાં આરોપી વિનુભાઈ લાખાભાઈ મિયાત્રા અને રમેશભાઈ મેરૂભાઈ કાકરેશા તરફે મોરબીના યુવા વકીલ મીતરાજસિંહ કિશનસિંહ જાડેજા રોકાયેલ હતા, આરોપી પિયુષ મોહનભાઈ સરખેડી, સવજીભાઈ રામજીભાઈ ચૌહાણ અને કાંતીલાલ લખમણભાઈ ભોરણીયા વતી વકીલ આશિષ દયાલજીભાઈ ચાવડા રોકાયેલ હતા. આ કેસમાં આરોપીઓના વકીલોએ કરેલ ધારદાર દલીલો તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કર્યા હતા હતા જેને ધ્યાને લઈને મોરબીની ચીફ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપીઓ તરફે મોરબીના વકીલ મીતરાજસિંહ કે.જાડેજા, આશિષ ડી.ચાવડા, અલ્પેશ પી.હાલપરા, સુરેશ આર.વાધાણી અને બી.સી.વૈષ્નાણી રોકાયેલ હતાં.






Latest News