મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના કૃષ્ણનગર ગામે પરિણીતાને ગાળો આપીને મારકૂટ: પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો


SHARE















મોરબીના કૃષ્ણનગર ગામે પરિણીતાને ગાળો આપીને મારકૂટ: પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો

મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે રહેતી મહિલાને તેના પતિ, સાસુ, નણંદ અને જેઠાણી દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં અને ઘરકામ બાબતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને તેને મેણાં ટોણાં મારીને ગાળો આપીને મારકૂટ પણ કરવામાં આવતી હતી જેથી હાલમાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે જોનાબેન રતિલાલ મુછડીયા (30)એ હાલમાં તેના પતિ રતિલાલ નથુભાઈ મુછડીયા, સાસુ સોમબેન નથુભાઈ મુછડીયા, નણંદ વિજુબેન નથુભાઈ મુછડીયા અને જેઠાણી રંજનબેન હરિભાઈ મુછડીયા રહે. બધા કૃષ્ણનગર ગામ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, ફરિયાદીને તેના પતિ, સાસુ, નણંદ અને જેઠાણી દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તથા ઘરકામ બાબતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા અને મેણાં ટોણાં મારીને ગાળો આપીને મારકૂટ પણ કરવામાં આવતી હતી આમ શારીરિક માનસિક ત્રાસ દેવામાં આવતો હોવાથી હાલમાં મહિલાએ તેના પતિ સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News