મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમીએ  ત્રિવિધ કાર્યક્રમનું આયોજન


SHARE















મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમી ત્રિવિધ કાર્યક્રમનું આયોજન

મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને તે દિવસે મહાઆરતી, ફરાળ મહાપ્રસાદ સહીતનાં કાર્યક્રમો યોજાશે.

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લા દ્વારા તા.૬ ને રવિવારના રોજ  સનાતન હિન્દુ ધર્મનાં આરાધ્ય દેવ પ્રભુ શ્રીરામ ના જન્મોત્સવ નિમિતે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત બપોરે ૧૧ કલાક થી  પ્રભુ શ્રી રામનો પ્રાગટ્યોત્સવ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી ત્યારબાદ ફરાળ મહાપ્રસાદનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે. શહેરના દરેક રામભક્તોને પધારવા, મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદનો લાભ લેવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લાના અધ્યક્ષ સી.ડી.રામાવત, ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ તથા શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણીએ નિમંત્રણ પાઠવેલ છે.






Latest News