મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે જાણતા રાજા નાટકનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન


SHARE











મોરબીમાં ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે જાણતા રાજા નાટકનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન

મોરબીના આંગણે છત્રપતિ શિવાજી મહારાજનનું વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક જાણતા રાજા આગામી દિવસોમાં આવી રહ્યું છે ત્યારે ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે આ નાટકનું આયોજન કરનાર માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ટિકિટ વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મોરબીના નગરજનો તરફથી સહકાર આપવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવેલ છે.

મોરબીમાં ૧૩ વર્ષ પહેલા માતૃભૂમિ વંદના ટ્રસ્ટ બનાવવાનો સંકલ્પ કર્યો હતો અને આજે ૧૪ માં વર્ષમાં માતૃભૂમિ વંદના પ્રવેશ કરી રહ્યું છે ત્યારે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ભારતમાતા ક્રાંતિ મંદિરના લાભાર્થે છત્રપતિ શિવાજી મહારાજનનું વિશ્વ પ્રસિદ્ધ મહાનાટક પ્રથમ વખતની ભવ્ય સફળ બાદ બીજીવાર મોરબીના આંગણે લાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની ટિકિટના વેચાણ માટેના જાણતારાજા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ અને અમારા પરિવારની એક ઈંટ પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિર માટે” ના સંકલ્પ સાથે જાણતારાજા મહાનાટકની ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે અને ત્યારે મોરબીના દાતાઓ સહિતના તમામ લોકો તરફથી સનાતન ધર્મના ઉત્થાન માટે સહભાગી થવાની ભાવના સાથે ટિકિટ લેવામાં આવે તેવો અનુરોધ માતૃભૂમિ વંદના ટ્રસ્ટના મહેશભાઇ ભોરણિયા સહિતનાઓ દ્વારા કરવામાં આવેલ છે.




Latest News