મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

મોરબીમાં અલગ રહેવા માટે જવાની દિકરાએ ના પડતાં માતાએ અનંતની વાટ પકડી


SHARE











મોરબીમાં અલગ રહેવા માટે જવાની દિકરાએ ના પડતાં માતાએ અનંતની વાટ પકડી

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ શેર નં-3 માં અવધ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધાને તેના દીકરાથી અલગ રહેવા માટે જવું હતું અને દીકરાએ અલગ રહેવા જવા માટેની ના પાડી હતી જેથી વૃદ્ધાને મનોમન લાગી આવ્યું હતું અને તેણે ઘરના બાથરૂમની અંદર ઘઉંમાં નાખવાના ટીકળા ખાઈ લીધા હતા જેથી વૃદ્ધાને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જે બનાવની મૃતકના પતિએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર ચિત્રકૂટ સોસાયટી શેરી નં-3 માં આવેલ અવધ એપાર્ટમેન્ટ બ્લોક નં- 101 માં રહેતા વનિતાબેન બાબુભાઈ કાંજીયા (59)એ ઘરના બાથરૂમની અંદર ઘઉંમાં નાખવાના ટીકળા ખાઈ લીધા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતકના પતિ બાબુભાઈ શામજીભાઈ કાંજીયા (60) રહે. ચિત્રકૂટ સોસાયટી શેરી નં-3 અવધ એપાર્ટમેન્ટ બ્લોક નં-101 સનાળા રોડ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક વૃદ્ધાપોતાના દીકરાથી અલગ રહેવા જવાની જીદ કરી હતી અને તેના દીકરાએ તેને અલગ રહેવા જવાની ના પાડી હતી જેથી વૃદ્ધાને મનોમન લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર બાથરૂમમાં ઘઉંમાં નાખવાના ટીકળા ખાઈ લીધા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News