મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

ભારે કરી, માળીયા (મી)ના સુલતાનપુર ગામે રહેતા યુવાનને વેરાવળથી ઈ-ચલણ આવ્યું !


SHARE







ભારે કરી, માળીયા (મી)ના સુલતાનપુર ગામે રહેતા યુવાનને વેરાવળથી ઈ-ચલણ આવ્યું !

માળીયા (મી)ના નાના એવા સુલતાનપુર ગામના રહેવાસી યુવાનને વેરાવળથી ઈ-ચલણ મોકલાવવામાં આવ્યું છે અને તેને બાઈક ઉપર ત્રણ વ્યક્તિઓ બેઠા છે તે પ્રકારના ફોટો સાથે ઈ-ચલણ આવ્યું છે ત્યારે સવળ એ ઊભો થાય છે કે, યુવાન ક્યારેય વેરાવળ બાઇક લઈને ગયેલ નથી તો પણ તેને ઈ-ચલણ આવતા યુવાન મૂંઝવણમાં મુકાયેલ છે

સામાન્ય રીતે એસી ઓફિસમાં બેઠા બેઠા સીસીટીવી કેમેરા ચેક કરીને ઇ-ચલણો બનાવવામાં આવતા હોય છે પરંતુ તે ઈ0ચલણો બનાવતી વખતે સ્પષ્ટપણે નંબર પ્લેટ દેખાતી ન હોવા છતાં પણ જે ઈ-ચલણો બનાવવામાં આવે છે તેના કારણે ઘણી વખત નિર્દોષ લોકોને ઈ-ચલણ મોકલવામાં આવતા હોય આવું અગાઉ અનેક વખત સામે આવ્યું છે તેવામાં મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના નાના એવા સુલતાનપુર ગામે રહેતા ભાવેશભાઈ વિડજા કે જેને હાલમાં વેરાવળથી બાઈક ઉપર ત્રણ વ્યક્તિ બેસાડેલ છે તેવું ઈ-ચલણ આવ્યું છે જો કે, ભાવેશભાઈના કહેવા મુજબ તે બાઈક લઈને ક્યારેય વેરાવળ ગયેલા નથી અને તેમના બાઈકનો નંબર જે છે તે જીજે 3 એચપી 4520 છે જ્યારે ઈ-ચલણમાં જે ગાડીનો નંબર દેખાય છે તે નંબર જીજે 3 એચએફ 4520 છે તેમ છતાં પણ તેઓને હાલમાં ઈ-ચલણ મોકલાવવામાં આવ્યું છે જેથી હાલમાં પોલીસ તંત્રની બેદરકારીના કારણે ભાવેશભાઈ વિડજાનું મુઝવણ વધી ગયેલ છે.






Latest News