મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ કવિ સંમેલન, વીરરસ અને હાસ્યરસનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ કવિ સંમેલન, વીરરસ અને હાસ્યરસનો કાર્યક્રમ યોજાયો

23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે સમગ્ર દેશની અંદર જુદી જુદી જગ્યાએ જુદી જુદી સંસ્થાઓ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે જો મોરબીની વાત કરીએ તો મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહીદ દિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે અને ખાસ કરીને દેશભક્તિને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ગઈકાલે મોરબીના રવાપર ગામ પાસે આવેલ ન્યુ એરા સ્કૂલ પાસે અગાઉ જ્યાં જાણતા રાજા નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું તે રાયગઢ કિલ્લા શિવાજી મહારાજ મહાનાટક મેદાન રવાપર ઘુનડા રોડ ખાતે કવિ સંમેલન, વીરરસ અને હાસ્યરસનું આયોજન માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જેને માણવા માટે થઈને મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં આવ્યા હતા અને આ તકે સુરેન્દ્રનગરની સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ સંસ્થા કે જે દેશભરમાં જાણીતી છે તેમની દીકરીઓ દ્વારા દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કવિ સંમેલન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં હર્ષિદાબેન ત્રિવેદી, દીપકભાઈ ત્રિવેદી, ડો. મુકેશભાઈ જોશી, શૈલેષભાઈ પંડ્યા, દિનેશભાઈ કાનાણી, પારસભાઈ હેમાણી, રાકેશભાઈ હાંસલિયા અને ડો. રામભાઈ વારોતરીયા દ્વારા તેઓની કવિતાઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને આ તકે આગામી સમયમાં મોરબીમાં જાણતા રાજા નાટકનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેની પણ જાહેરાત કરવામાં આવી હતી






Latest News