મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માર્ચ એંડિંગની અસર: મોરબી મહાપાલિકામાં સર્વર સાથ ન આપતા રાત્રિના 11 વાગ્યા સુધી વેરો સ્વીકારવાનું શરૂ


SHARE







માર્ચ એંડિંગની અસર: મોરબી મહાપાલિકામાં સર્વર સાથ ન આપતા રાત્રિના 11 વાગ્યા સુધી વેરો સ્વીકારવાનું શરૂ

ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવામાં છે ત્યારે મોટાભાગના આસામીઓ પોતાનો બાકી મિલકત વેરો ભરવા માટે મહાપાલિકા કચેરીએ પહોંચે છે પરંતુ ત્યાં સર્વરના ધાંધીયા હોવાના કારણે લોકો વેરો ભરી ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેથી કરીને મહાપાલિકા દ્વારા વેરો વસૂલવા માટેની કામગીરીનો સમય લંબાવવામાં આવ્યો છે અને રાત્રિના 11 વાગ્યા સુધી કોઈપણ વ્યક્તિ વેરો ભરવા માટે આવે તો તેનો વેરો મહાપાલિકા ખાતે સ્વીકારવામાં આવે છે

મોરબી મહાપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષનો લક્ષ્યાંક પૂરો કરવા માટે થઈને હાલમાં વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે. અને જે આસામીઓનો વેરો બાકી હોય તેની પાસેથી વેરો વસૂલ કરવા માટે થઈને મિલકતો સીલ કરવા સુધીની કામગીરી કરવામાં આવી રહી છે જોકે ગુજરાતીમાં કહેવત છે કે દશેરાએ ઘોડું ન દોડીયુ તેને મહાપાલિકાનો ટેક્સ વિભાગ સાર્થક કરતો હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે કારણ કે બાકીદારોને નોટિસો આપીને તેનો વેરો ભરવા માટે થઈને તાકીદ કરવામાં આવે છે અને મિલકતો સીલ કરવામાં આવે છે. પરંતુ જ્યારે બાકીદારો તેના મિલકત વેરો ભરવા માટે થઈને મહાપાલિકા કચેરીએ પહોંચે છે ત્યારે સર્વરના ધાંધિયા હોવાના કારણે તેઓ મિલકત વેરો જમા કરાવી શકતા નથી અને વેરો ભરવા માટે તેને ધક્કા ખાવા પડે છે

છેલ્લા થોડા દિવસોથી સર્વરના ધાંધિયા હોવાની વાતને મહાપાલિકાના અધિકારી અને કર્મચારી પણ સ્વીકાર કરી રહ્યા છે. જોકે મોરબીના લોકોને મિલકત વેરો ભરવા માટે તેને વધુ હેરાનગતિનો સામનો ન કરવો પડે તે માટે થઈને વેરો ભરવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે ઉલેખનીય છે કે, દર વર્ષે માર્ચ મહિનામાં સર્વરના ધાંધીયા હોવાના કારણે લોકોને મિલકત વેરો ભરવા માટે થઈને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે થઈને હાલમાં વેરા વસુલાતના સમયમાં વધારો કર્યો છે જેથી વેરો ભરવા માટે આવતા લોકોને થોડી રાહત થયેલ છે.

મહાનગરપાલિકાના વેરા વિભાગના ક્લાર્ક સંદીપભાઈ પટેલને જણાવ્યા મુજબ સવારે 10:30 વાગ્યાથી વેરાની વસુલાતની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યાર 2:30થી 3:00 સુધી રિસેસ હોય છે અને સાંજે 6:00 વાગ્યા સુધી સામાન્ય રીતે વેરો લેવામાં આવતો હોય છે જોકે લોકોની હાલાકીને ધ્યાનમાં રાખીને હવેથી નાણાકીય વર્ષના અંત સુધી સાંજના 6:00 થી લઈને રાતના 8:00 વાગ્યા સુધી અને એક કલાકની રિસેસ પછી 9:00 થી 11:00 વાગ્યા સુધી લોકો મહાપાલિકા કચેરી ખાતે આવીને તેનો મિલકત વેરો ભરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે






Latest News