મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના હીરાપર ગામેથી રૂપિયા ૩૫ હજારની કિંમતના બાઇકની ચોરી


SHARE











ટંકારાના હીરાપર ગામેથી રૂપિયા ૩૫ હજારની કિંમતના બાઇકની ચોરી

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા હીરાપર ગામે રહીને ખેત મજુરીનું કામ કરતા મુળ મધ્યપ્રદેશના યુવાનના રૂા.૩૫ હજારની કિંમતના બાઇકની ચોરી થવા પામી હોય ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ધાનપુર તાલુકાના બોકડીયા પીપલપાણી ફળિયુ વિસ્તારનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના હીરાપર ગામે શિવલાલ ચકુભાઈ લો ની વાડીમાં રહીને ખેત મજૂરીનું કામ કરતાં દીલાભાઈ શાંતિયાભાઇ બુંબડીયા નામના યુવાનનું રૂા.૩૫ હજારની કિંમતનું બાઈક નંબર એમપી ૬૯ એમઇ ૩૪૭૪ ગત તા.૫-૧૧ ના નવ વાગ્યાથી તા.૬ ના ચાર વાગ્યા દરમિયાનમાં હીરાપર ગામેથી ચોરાઈ ગયું હોય તેણે ઘરમેળે આજુબાજુમાં તપાસ કરી હતી તેની સાથે અન્ય ખેત મજૂરીનું કામ કરતા તેના મિત્રોમાં પણ તેણે બાઇકની શોધખોળ કરી હતી છતાં પણ બાઈકનો પત્તો ન લાગતાં અંતે દીલાભાઇ બુંબળીયાએ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્રારા રૂપિયા ૩૫ હજારની કિંમતના બાઇકની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે જેની તપાસ હેડ કોન્સ્ટેબલ વી.એન.બાર ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રહેવાસી હર્ષાબેન કિશોરભાઇ પરમાર જાતે દલવાડી નામની ૧૯ વર્ષીય યુવતી તા.૨૦-૧૧ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં વાવડી ચોકડી પાસેથી પોતાના ભાઈના બાઈકની પાછળ બેસીને જતા હતા તે દરમિયાનમાં તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થયેલા હર્ષાબેન પરમારને સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. જયારે હળવદ તાલુકાના માંગરોલીયા ગામના રહેવાસી અમુભાઈ ગીરીરાજભાઈ પરમાર નામના ૩૦ વર્ષીય યુવાનને તેના ઘેર તેના પત્ની દ્વારા માર મારવામાં આવતા તેને મોરબીની સિવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News