મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામેથી સગીરાનું અપહરણ કરનારની ધરપકડ


SHARE







મોરબીના રવાપર ગામેથી સગીરાનું અપહરણ કરનારની ધરપકડ

મોરબી નજીકના રવાપર ગામેથી સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવ્યું હતુ જેથી ભોગ બનનાર સગીરાના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ એક શખ્સની ધરપકડ કરીને આગળની તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના રવાપર વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું મૂળ ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામનો રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામે બોનીપાર્ક વિસ્તારમાં આવેલા આંગન પેલેસમાં રહેતો જયદીપ ઉર્ફે જય સુરેશભાઈ બારૈયા પટેલ (૨૩) નામનો શખ્સ અપહરણ કરી ગયો હોય ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પીઆઇ જે.એમ.આલે અપહરણ, દુષ્કર્મ, પોકસો સહીતની કલમ હેઠળ ગુનો નોંધીને ગણતરીના દિવસોમાં જ અપહરણના આરોપી જયદીપ ઉર્ફે જય સુરેશભાઈ બારૈયા પટેલ (૨૩) ને પકડી પાડેલ છે તેમજ સગીરાને મુકત કરાવી હતી.






Latest News