મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસે વિવિધ પ્રવૃતિનું આયોજન કરાયું


SHARE











મોરબીમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસે વિવિધ પ્રવૃતિનું આયોજન કરાયું

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત "આઝાદી કા અમૃત મહોત્સવ" અભિયાન અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તા. ૧૮ થી ૨૦ નવેમ્બર દરમ્યાન રાજ્યના તમામ જિલ્લામાં "આત્મનિર્ભર ગ્રામ યાત્રા" યોજાઈ રહી છે ત્યારે વિશ્વ શૌચાલય દિવસ નિમિતે મોરબી જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા મોરબી તાલુકાના ત્રાજપર ગામેથી તેમજ હળવદ તાલુકાના ચરાડવા ગામેથી રથ યાત્રાનો શુભ આરંભ થયો હતો. જે અંતર્ગત ગ્રામ્યજનોએ મોટી સંખ્યામાં રથમાં દર્શાવતી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગેની ફિલ્મ નિહાળી વિવિધ યોજનાઓ અંગેની જાણકારી મેળવી હતી આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન વિશ્વ શૌચાલય દિવસ નિમિતે મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય કક્ષાનાં શૌચાલયોને શણગારી શૌચાલય ઉપયોગ માટે અલગ અલગ લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરી ગામડાના છેવાડાના લોકોને લાભ મળે તેમજ શૌચાલય ઉપયોગ કરે સ્વચ્છતા જાળવે તેવા ઉદેશ્યથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.






Latest News