મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા બગીચાઓમાં રમત ગમતના સાધનો અને લોકોને બેસવા માટે બાકડા મૂકવાની માંગ


SHARE











મોરબીમાં જુદાજુદા બગીચાઓમાં રમત ગમતના સાધનો અને લોકોને બેસવા માટે બાકડા મૂકવાની માંગ

મોરબી મહાપાલીકામાં રીનોવેશન થાય તો બગીચામાં બાળકોને રમવાના સાધનો, પુલ ઉપર વડીલો સહિતના લોકોને બેસવા માટેના બાકડા કયારે નાખવામાં આવશે તેવો અધીદાર સવાર મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવેલ છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઇ છબીલભાઈ કોટેચાએ મહાપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી મહાપાલીકા બની પછી મોરબીમાં ફરવા જેવા સ્થળ હોવા જોઇએ જેમાં હાલ શનાળા રોડ ઉપર આવેલા સરદાર બાગમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવી તે ખુબજ સારી વાત છે પણ શું ? મહાનગર પાલીકાના અધીકારીને જાણ નથી કે મોરબીમાં અન્ય પણ બાગ-બગીચા ભંગાર હાલતમાં છે જેમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સુરજબાગ, રાણીબાગ, મણીમંદીર, અને સામાંકાંઠે વિસ્તારમાં આવેલ કેસરબાગ વગેરેનો સમાવેશ થાય છે અને ત્યાં કયારે ગ્રાન્ટ આપવામાં આવશે અને લોકોને કયારે સારી સુવિધા મળશે ? વધુમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા સમક્ષ જાગૃત સામાજીક કાર્યકરોમોરબીના લોકો વતી માંગ કરી છે કે, તો દ્વારા પણ બાગ-બગીચામા તાત્કાલીક ગ્રાન્ટ આપવામાં આવે અને તેનો વિકાસ કરવામાં આવે તે જરૂરી છે. ખાસ કરીને બાળકોને રમવા માટે બગીચામાં લફસીયા, હીંચકા વિગેરે કોઈ સાધનો નથી અને વડીલો સહિતના લોકોને બેસવા માટેની કોઈ વ્યવસ્થા નથી. અને રાજાશાહી વખતનુ પીકનીક સેન્ટર હાલ ખંઢેર બની ગયેલ છે. તેનો પણ વિકાસ થાય તો મોરબીના સામાકાંઠા વિસ્તારના લોકોને ફરવાનુ એક સ્થળ મળે તેમ છે. આટલું જ નહીં મોરબીના મયુરપુલ ઉપર લોકોને બેસવા માટે બાકડા મૂકવામાં આવે તે પણ જરૂરી છે.






Latest News