સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા બગીચાઓમાં રમત ગમતના સાધનો અને લોકોને બેસવા માટે બાકડા મૂકવાની માંગ


SHARE











મોરબીમાં જુદાજુદા બગીચાઓમાં રમત ગમતના સાધનો અને લોકોને બેસવા માટે બાકડા મૂકવાની માંગ

મોરબી મહાપાલીકામાં રીનોવેશન થાય તો બગીચામાં બાળકોને રમવાના સાધનો, પુલ ઉપર વડીલો સહિતના લોકોને બેસવા માટેના બાકડા કયારે નાખવામાં આવશે તેવો અધીદાર સવાર મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવેલ છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઇ છબીલભાઈ કોટેચાએ મહાપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી મહાપાલીકા બની પછી મોરબીમાં ફરવા જેવા સ્થળ હોવા જોઇએ જેમાં હાલ શનાળા રોડ ઉપર આવેલા સરદાર બાગમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવી તે ખુબજ સારી વાત છે પણ શું ? મહાનગર પાલીકાના અધીકારીને જાણ નથી કે મોરબીમાં અન્ય પણ બાગ-બગીચા ભંગાર હાલતમાં છે જેમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સુરજબાગ, રાણીબાગ, મણીમંદીર, અને સામાંકાંઠે વિસ્તારમાં આવેલ કેસરબાગ વગેરેનો સમાવેશ થાય છે અને ત્યાં કયારે ગ્રાન્ટ આપવામાં આવશે અને લોકોને કયારે સારી સુવિધા મળશે ? વધુમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા સમક્ષ જાગૃત સામાજીક કાર્યકરોમોરબીના લોકો વતી માંગ કરી છે કે, તો દ્વારા પણ બાગ-બગીચામા તાત્કાલીક ગ્રાન્ટ આપવામાં આવે અને તેનો વિકાસ કરવામાં આવે તે જરૂરી છે. ખાસ કરીને બાળકોને રમવા માટે બગીચામાં લફસીયા, હીંચકા વિગેરે કોઈ સાધનો નથી અને વડીલો સહિતના લોકોને બેસવા માટેની કોઈ વ્યવસ્થા નથી. અને રાજાશાહી વખતનુ પીકનીક સેન્ટર હાલ ખંઢેર બની ગયેલ છે. તેનો પણ વિકાસ થાય તો મોરબીના સામાકાંઠા વિસ્તારના લોકોને ફરવાનુ એક સ્થળ મળે તેમ છે. આટલું જ નહીં મોરબીના મયુરપુલ ઉપર લોકોને બેસવા માટે બાકડા મૂકવામાં આવે તે પણ જરૂરી છે.






Latest News