મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વેણાસર ગામે અગરિયાઓ માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો


SHARE











માળિયા (મી)ના વેણાસર ગામે અગરિયાઓ માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

માળિયા (મી)ના વેણાસર આંગણવાડી ખાતે અગર વિસ્તારમાં રહેતા અગરીયાઓ માટે મોબાઈલ હેલ્થ યુનિટ માળિયા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચનાં સહયોગથી સર્વરોગ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું અને આ કેમ્પમાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે સુગરની તપાસ, પ્રસુતિની તપાસ, મલેરીયાની તપાસ, બીપી તપાસ, હિમોગ્લોબીન તપાસ પણ કરવામાં આવી હતી. આ કેમ્પનો 305 જેટલા અગરીયા ભાઈ-બહેનોએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો. બાવરવા, એમ.એચ.યુ. મેડિકલ ઓફિસર ડો. નિમેષ રંગપરિયા, અગરિયા હિત રક્ષક મંચના મારૂતસિંહ બારૈયા અને અગરીયા આગેવાન હુંબલ અરજણભાઇએ જહેમત ઉઠાવી હતી.






Latest News