મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં પૂરા ફોર્સથી પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE















માળીયા (મી) તાલુકામાં નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં પૂરા ફોર્સથી પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી તાલુકાનાં પીપળીયા ચાર રસ્તાથી નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં પાણી અપૂરતું, અનિયમિત અને અપૂરતા ફોર્સથી પાણી આવે છે જેથી કરીને લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે લોકોને નિયમિત અને પૂરા ફોર્સથી પાણી આપવામાં આવે તેવી મુખ્યમંત્રીને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન  ગુજરાતના પ્રદેશ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન  ગુજરાતના પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, માળીયા (મી)ના મોટાભેલા ગામના જાગૃત આગેવાન મુળુભાઈ ગોહેલફરિયાદ કરીને કહ્યું હતું કે, પીપળીયા ચાર રસ્તા સંપ હેઠળ આવતા નાનાભેલા સંપ ગ્રુપના ગામોમાં પીવાનું પાણી ઉનાળો નથી આવ્યો ત્યા અપૂરતું, અનિયમિત અને અપૂરતા ફોર્સથી પાણી આવે છે તો આગામી ઉનાળામાં શું થશે ? તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે.

સરકારી તંત્ર, સરકારી કોન્ટ્રાકટર ક્યારે ગામમાં પાણી આવે છે કે નહીં તે પૂછવા માટે પણ આવતા નથી. અને લોકોને ભગવાન ભરોસો હોય તેવી સ્થિતિ છે બીજી બાજુ મચ્છુ-૨ કેનાલનું પાણી ખુબ જ મોટી માત્રામાં હોકળાઓમાં વહી રહ્યું છે. અને પાણીનો બગાડ થઇ રહ્યો છે. પરંતુ લોકોને પીવા માટે પાણી મળતું નથી. જેથી કરીને સબંધિત વિભાગને જરૂરી આદેશ કરીને લોકોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. જો આવું કરવામાં નહિ આવે તો ના છુટકે જુદાજુદા ગામના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાંત્મક  કાર્યક્રમો કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News