વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં પૂરા ફોર્સથી પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











માળીયા (મી) તાલુકામાં નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં પૂરા ફોર્સથી પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી તાલુકાનાં પીપળીયા ચાર રસ્તાથી નાનાભેલા સંપ નીચે આવતા ગામોમાં પાણી અપૂરતું, અનિયમિત અને અપૂરતા ફોર્સથી પાણી આવે છે જેથી કરીને લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે લોકોને નિયમિત અને પૂરા ફોર્સથી પાણી આપવામાં આવે તેવી મુખ્યમંત્રીને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન  ગુજરાતના પ્રદેશ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન  ગુજરાતના પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, માળીયા (મી)ના મોટાભેલા ગામના જાગૃત આગેવાન મુળુભાઈ ગોહેલફરિયાદ કરીને કહ્યું હતું કે, પીપળીયા ચાર રસ્તા સંપ હેઠળ આવતા નાનાભેલા સંપ ગ્રુપના ગામોમાં પીવાનું પાણી ઉનાળો નથી આવ્યો ત્યા અપૂરતું, અનિયમિત અને અપૂરતા ફોર્સથી પાણી આવે છે તો આગામી ઉનાળામાં શું થશે ? તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે.

સરકારી તંત્ર, સરકારી કોન્ટ્રાકટર ક્યારે ગામમાં પાણી આવે છે કે નહીં તે પૂછવા માટે પણ આવતા નથી. અને લોકોને ભગવાન ભરોસો હોય તેવી સ્થિતિ છે બીજી બાજુ મચ્છુ-૨ કેનાલનું પાણી ખુબ જ મોટી માત્રામાં હોકળાઓમાં વહી રહ્યું છે. અને પાણીનો બગાડ થઇ રહ્યો છે. પરંતુ લોકોને પીવા માટે પાણી મળતું નથી. જેથી કરીને સબંધિત વિભાગને જરૂરી આદેશ કરીને લોકોને પાણી મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. જો આવું કરવામાં નહિ આવે તો ના છુટકે જુદાજુદા ગામના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાંત્મક  કાર્યક્રમો કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News