વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મિ.) પશુ હોસ્પિટલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સીએમને રજૂઆત


SHARE











માળીયા (મિ.) પશુ હોસ્પિટલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સીએમને રજૂઆત

માળીયા (મી) શહેરમાં 62.62 કરોડના ખર્ચે પશુ હોસ્પિટલ પુનઃનિર્માણની કામગીરી કરવામાં આવેલ છે અને તેમાં હલકી ગુણવત્તાનો માલ ઉપયોગમાં લેવામાં આવેલ છે ત્યારે આ કામમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાથી તેની તપાસ માટે માળીયા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

માળીયા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ તૈયબભાઈ જુસબભાઈ જેડા દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે. કે, માળીયા (મી)માં 62.62 લાખના ખર્ચે બનાવવામાં આવેલ પશુ હોસ્પિટલની નવી બિલ્ડીંગના કામમાં હલકી ગુણવત્તાનો માલ વપરાયેલ છે. અને ભ્રષ્ટાચારના એંધાણ જોવા મળી રહ્યા છે. ત્યાં અત્યારથી જ ઠેર ઠેર પોપડા પડે છે, દરવાજા બંધ થતાં નથી તેમજ બિલ્ડીંગનું માર્ચ 2024માં કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. પરંતુ બિલ્ડીંગ ફર્નીશિંગ (લાઈટ ફિટિંગ, બારી દરવાજા, ગ્રીલ વર્ક વગેરે)ના કામો આજની તારીખે પણ ચાલી રહ્યા છે. અને આ બિલ્ડિંગમાં દરવાજા બંધ થતા નથી જેથી નાના મોટા સામાનની ત્યાંથી ચોરી પણ કરવામાં આવેલ છે.






Latest News