ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં તૂટેલા બ્રિજ પાસેનો ડાઈવર્ઝનનો રસ્તો સરખો કરવા રાજપૂત કરણી સેનાની માંગ


SHARE











મોરબીમાં તૂટેલા બ્રિજ પાસેનો ડાઈવર્ઝનનો રસ્તો સરખો કરવા રાજપૂત કરણી સેનાની માંગ

મોરબીના લીલાપર રોડ ઉપર તૂટેલા બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને તેની બાજુમાં ડાઈવર્ઝન બનાવવામાં આવેલ છે જો કે તે રસ્તો ચાલવા જેવો નથી જેથી ડાઈવર્ઝનનો રસ્તો સરખો કરવા માટેની રાજપૂત કરણી સેનાના જિલ્લા પ્રમુખે માંગ કરી છે.

મોરબીના લીલાપર રોડ ઉપર ઇલેક્ટ્રિક સ્મશાનથી આગળ રામદેવપીરના મંદિર પાસે જે બ્રિજ થોડા સમય પહેલા તૂટી ગયો હતો ત્યાં રાહદારીઓને બાઈક લઈને નીકળવામાં હાલમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે અને જે ડાઈવર્ઝન આપવામાં આવેલ છે તે રસ્તો ખૂબ જ ખરાબ છે જેથી કરીને તંત્રને રાજપૂત કરણી સેનાના જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા અને મોરબી તાલુકાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાટેલિફોનીક અને રૂબરૂ રજૂઆત કરી છે અને જો તાત્કાલિક ધોરણે રસ્તો સરખો કરવામાં નહીં આવે તો ન છૂટકે આંદોલન ના માર્ગે જવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News