મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી એલસીબીએ અમદાવાદ તથા અંજારની ચોરીના ફરાર આરોપીને પકડ્યો


SHARE











મોરબી એલસીબીએ અમદાવાદ તથા અંજારની ચોરીના ફરાર આરોપીને પકડ્યો

મોરબી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે બાઇક સાથે મળી આવેલ ઇસમને અટકાવીને તેની ઉલટ તપાસ કરતા અમદાવાદના નારોલ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપી અંજારમાંથી ચોરેલ બાઈક સાથે મોરબી ખાતેથી મળી આવ્યો હતો.હાલ તેને પકડવામાં આવ્યો હતો અને અંજાર તથા અમદાવાદ પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી હતી.

મોરબી એલસીબી પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદના નારોલ વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા ઘરફોડ ચોરી થઈ હતી અને તેનો આરોપી મોરબી નજીક હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવીને મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ બાપાસીતારામ ચોકડી પાસેથી નીકળેલ ઈસમને અટકાવ્યો હતો અને બાઇક સાથે નીકળેલા આ ઇસમને અટકાવી તેનું નામ પૂછવામાં આવતા તેણે પોતાનું નામ પુરણસિંગ લલ્લુરામ નિશાદ રહે.આલ તા.જી.જાલોન થાના કોન્થોદ ઉત્તરપ્રદેશ હોવાનું તેણે જણાવ્યું હતું અને તેની પુછપરછમાં તેને જણાવ્યું હતું કે પોતે પોતાના નાના ભાઈ ગોપાલ નિસાદની સાથે મળીને અમદાવાદના નારોલ વિસ્તારમાં ચોરી કરી હતી.જેમાં ચાંદીની મૂર્તિ, લેપટોપ, રોકડ વિગરેની ચોરી કરી હતી અને જે તે સમયે તેનો ભાઈ પકડાઈ ગયો હતો અને પોતે નાસી છૂટ્યો હોય ફરાર હતો દોઢ વર્ષ પહેલાના આ ચોરીના ગુનામાં તેને પકડીને અમદાવાદ પોલીસની જાણ કરવામાં આવી હતી. અને તેની પાસેથી એક બાઈક મળેલ હોય જેની પોકેટ કોપ એપ્લિકેશન વડે તપાસ કરવામાં આવતા તેણે આ બાઈક અંજારના ગ્રામ્ય વિસ્તારમાંથી ચોરી કરેલ હોય બાઇક ચોરી સંદર્ભે અંજાર પોલીસને જાણ કરવામાં આવી હતી.હાલ આગળની તપાસ માટે આરોપીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરાયો હતો.

રાજકોટ સિવિલ ખસેડાયો

મોરબીના સામાકાંઠે સોઓરડી રામદેવપીર મંદિર નજીક રહેતો વિજયભાઈ લાલજીભાઈ સોલંકી નામનો ૩૮ વર્ષનો યુવાન ગત તા.૪-૨ ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં મોરબી સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન સાથે અથડાયો હતો અને તેને મોરબીની સિવિલ બાદ રાજકોટ ગોકુલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો અને ત્યાં સારવાર બાદ હાલ તેને રાજકોટ સિવિલ ખાતે ખસેડાયો હોય આ અંગે પોલીસે માહિતી આપેલ છે તેમજ આ બાબતે મોરબી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા આગળની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અકસ્માત 

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેની પ્રભુકૃપા રેસીડેન્સીમાં રહેતો યુગ મહેશભાઈ જાકાસણીયા નામનો ૨૦ વર્ષનો યુવાન તા.૧૭ ના બાઇક લઈને જતો હતો ત્યારે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ સાથે અન્ય બાઇક સાથે અથડાતા ઈજા પામતા ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબી નજીકના આમરણ ગામ પાસે થયેલ મારામારીના બનાવમાં વિજય રઘાભાઈ સિંધવ (૨૨) રહે.મોટી મોલડી તા.ચોટીલા વાળાને ઈજા થતા મોરબીની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી






Latest News