મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત


SHARE







ટંકારાના છતર પાસે ફેક્ટરીમાં શેડ ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા થવાથી યુવાનનું મોત

ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ શ્રીરામ ફેક્ટરીમાં કામગીરી દરમિયાન યુવાન ફાઇબરના શેડ ઉપર કામ કરતો હતો ત્યારે અકસ્માતે તે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના મોટાભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે  આગળની કાર્યવાહી હાથ રી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદના કાળુપુર વિસ્તારમાં આવેલ હરણવાળી પોળ નવી મોહલ્લ્ત ખાતેના રહેવાસી મોહમ્મ્દજુનેદ નુરમોહમ્મદ શેખ (37) નામનો યુવાન ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ શ્રીરામ ફેક્ટરીમાં ફાઇબરના શેડ ઉપર કામ કરતો હતો દરમિયાન અકસ્માતે તે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા આ બનાવ અંગેની મૃતક યુવાનના મોટાભાઈ સોહિલભાઈ નુરમોહમ્મદ શેખ (40) રહે. હરણવાળી પોળ નવી મોહલ્લ્ત કાળુપુર અમદાવાદ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

યુવાનનું મોત

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર અંજલી પાર્ક સોસાયટી રામકો બંગલોની પાછળ રહેતા હરેશભાઈ મગનલાલ અંદરપા (44ને લાંબા સમયથી મગજની બીમારી હતી અને ગઈકાલે સવારે 11:00 વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા ત્યારે શ્વાસ બંધ થઈ જતા તેને ખાનગી ગાડીમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ મૃતકના કૌટુંબિક કલ્પેશભાઈ મગનભાઈ અંદરપા (40) રહે. રાજકોટ વાળાએ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News