મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

પોલીસ-પરિવારને ગુમરાહ કરવાની થીયરી ફેઇલ: માળીયા (મી)ના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા મિત્રો વચ્ચે બોલાચાલી થતા યુવાન ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધુ, બે સામે ફરીયાદ


SHARE













માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામના સીમ વિસ્તારમાં મોરબીથી શિકાર કરવા માટે બે મિત્રો ગયા હતા અને માળિયાનો એક શખ્સ તેની સાથે હતો દરમિયાન આ ત્રણેય શકતો શિકારની રાહ જોઈને બેઠા હતા અને તેની પાસે દેશી બનાવટની લોડ કરેલી બંદૂક પણ હતી તેવામાં શિકાર આવી જતા ત્રણેય વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારે લોડ કરેલી બંદૂકમાંથી યુવાન ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી કરીને તે યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી તે યુવાનનું મોત નિપજ્યુ હતું જેથી હાલમાં મૃતક યુવાનના પિતાએ બે શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામ પાસે શિકાર કરવા ગયેલા વસીમ પિલુડીયા નામના યુવાનને ગોળી વાગતા તેનું મોત નિપજ્યુ હતું જે બનાવ સંદર્ભે પ્રથમ પોલીસ અને મૃતક યુવાનના પરિવારજનોને ગુમરાહ કરવા માટે થઈને મૃતક યુવાનની સાથે રહેલા શખ્સોએ એવી સ્ટોરી ઘડી કાઢી હતી કે શિકાર કરવા માટે જતા હતા ત્યારે યુવાન પોતાના બાઈક ઉપર થી પડી ગયો હતો અને તેની પાસે રહેલ બંદૂકમાંથી ગોળી છૂટવાના કારણે તે ગોળી યુવાનને વાગી હતી અને યુવાનનું મોત નીપજ્યું હતું જોકે આ બનાવ સંદર્ભે હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધાયેલ છે જેની પોલીસ સ્ટેશનથી મળતી વિગત પ્રમાણે મોરબીના મહેન્દ્ર પરા શેરી નંબર 10 માં રહેતા ગુાલમહુસેન અબ્દુલભાઈ પિલુડીયાએ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અસ્લમ ગફુરભાઇ મોવર રહે. વાવડી રોડ મોરબી અને જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા રહે. મિયાણા વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે.

જેમાં ફરીયાદીએ જણાવ્યું છે કે તેનો દીકરો વસીમ ગુલામહુસેન પીલુડિયા (38) તથા અસલમ અને જાવીદ માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામના સીમ વિસ્તારમાં રોજડા નો શિકાર કરવા માટે થઈને મોરબીથી ગયા હતા અને ત્યારે બાવળની જાળીમાં અસ્લમે છુપાવી રાખેલ દેશી બનાવટની બંદૂકને કાઢી હતી અને તેને લોડ કરી હતી અને ત્યારબાદ ફરિયાદીને દીકરો વસીમ સહિતના ત્રણેય વ્યક્તિઓ શિકારની રાહમાં હતા તેવામાં શિકાર આવી જતા તે બાબતે વસીમને અસ્લમ અને જાવેદ સાથે કોઇ કારણોસર બોલાચાલી થઈ હતી ત્યારબાદ અસ્લમે જે બંદૂક લોડ કરીને રાખી હતી તેમાંથી જાવીદે વસીમ ઉપર ફાયરીંગ કર્યુ હતુ જેથી વસીમને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નિપજ્યું હતું અને હત્યાના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યા સહિતની કલમ હેઠળ બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવી છે અને આ બનાવની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.સી. ગોહિલ ચલાવી રહ્યા છે






Latest News