મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રામાં પશુ આરોગ્ય મેળાનું આયોજન


SHARE











મોરબી જીલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રામાં પશુ આરોગ્ય મેળાનું આયોજન

જિલ્લા પંચાયત મોરબી (પશુપાલન વિભાગ) દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૮, ૧૯, ૨૦/૧૧/૨૦૨૧ દરમ્યાન જિલ્લાના ૨૪ ગામોમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથ પસાર થવાનો છે તે ગામોમાં જિલ્લા પંચાયતની દરેક સીટ દીઠ એક પશુ આરોગ્ય મેળા/ જાતીય આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. કેમ્પનો સમય સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ રહેશે.આત્મનિર્ભર ગ્રામ યાત્રા રૂટમાં આવતાં કાર્યક્રમના સ્થળ પર યોજાનાર પશુ આરોગ્ય કેમ્પમાં બીમાર પશુઓને રોગ નિદાન અને સારવાર, જાતીય આરોગ્ય સારવાર, સર્જિકલ સારવાર, કૃમિનાશક દવા કેમ્પના સ્થળે વિનામુલ્યે પશુપાલન વિભાગ તરફથી આપવામાં આવશે. વધુમાં વધુ પશુપાલકોને આ સેવાનો લાભ લેવા જિલ્લાના નાયબ પશુપાલન નિયામકની યાદીમાં જણાવેલ છે.






Latest News