વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સો-ઓરડી ખાતે મંત્રી બ્રિજેશ મેરજાએ રોડ-રસ્તાના કામનું કર્યું ખાતમૂહુર્ત


SHARE











મોરબીમાં સો-ઓરડી ખાતે મંત્રી બ્રિજેશ મેરજાએ રોડ-રસ્તાના કામનું કર્યું ખાતમૂહુર્ત

મોરબીના સો ઓરડી વિસ્તાર ખાતે તાજેતરમાં શ્રમ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના વરદ્દ હસ્તે રોડ-રસ્તાના ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા હસ્તકની ગ્રાન્ટમાંથી નિર્માણ થનાર રોડ-રસ્તાના ખાતમૂહુર્ત પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ અહીંની સ્થાનિક નાની બાળાઓને આગળ કરીને તેમના હસ્તે ખાતમૂહુર્ત કરાવીને બાળાઓનું સન્માન કરેલ હતું. આ ખાતમૂહુર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્થાનિક નગરપાલિકાના સદસ્ય મનુભાઇ બરાસરા, ગિરિરાજસિંહ જાડેજા, કે.કે. પરમાર તેમજ સુરેશભાઇ સિરોહીયા સહિત સ્થાનિક પદાધિકારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News