મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ફેનીલ ઓઝા, અશોક દામાણી, મેનાઝ પરમાર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા


SHARE







મોરબીમાં ફેનીલ ઓઝા, અશોક દામાણી, મેનાઝ પરમાર સહિત અનેકની નોટરી તરીકે વરણી, શુભેચ્છાવર્ષા

તાજેતરમાં ભારત સરકાર દ્વારા નોટરીઓની વરણી કરવામાં આવેલ છે. જેમાં મોરબીના જાણીતા એડવોકેટ ફેનીલભાઈ ઓઝા, અશોકભાઈ દામાણી, મેનાઝબેન પરમાર સહિત અનેક એડવોકેટની નોટરી તરીકે વરણી કરવામાં આવી છે.જેમાં ખાસ કરીને છ જેટલા વિપ્ર એડવોકેટની પણ નોટરી તરીકે વરણી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

હાલમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી વરણીઓમાં મોરબીના એડવોકેટ ફેનિલભાઈ ઓઝા, ભરતભાઈ રાવલ, ચેતનભાઇ દવે, નીતાબેન ત્રિવેદી, યતિનભાઈ દવે, ઉમેશભાઈ પંડ્યા સહિતના ભૂદેવોને નોટરી તરીકે નિમવામાં આવ્યા હોય બ્રહ્મ સમાજના જુના નોટરી બી.કે. ભટ્ટ, રાજેશભાઈ જોશી અને મનીષભાઈ જોશી સહિતનાઓએ તેઓને શુભેચ્છા પાઠવી હતી અને બ્રહ્મ સમાજના આગેવાનો અને અન્ય વકીલ મિત્રોએ તેઓને શુભેચ્છા પાઠવી હતી.તે ઉપરાંત વધુમાં મળતી માહિતી પ્રમાણે એડવોકેટ અશોકભાઈ દામાણી, મેનાઝબેન પરમાર, જાગૃતીબેન ભીંડોરા અને જયંતીભાઈ સેવરા સહિતના અન્ય એડવોકેટ મિત્રોની પણ નોટરી તરીકે હાલ વરણી કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં પણ હજુ વધુ નોટરીઓની નિંમણૂક થાય તેવા અણસાર મળી રહ્યા છે.






Latest News