મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

હળવદના વેગડવાડ રોડે બાઈક આડે ખુંટીયો આવતા થયેલા અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું મોત


SHARE











હળવદના વેગડવાડ રોડે બાઈક આડે ખુંટીયો આવતા થયેલા અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું મોત

હળવદ તાલુકાનાં વેગડવાવ રોડ ઉપરથી આધેડ બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકની આડે અચાનક ખુટિયો આવ્યો હતો જેથી અકસ્માત થયો હતો અને આધેડને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે.

હાલમાં જાણવા મળતી માહિતી મુજબ ગુરૂવારે મોડી સાંજે સમયે નવા ઇસનપુર ગામે રહેતા રમેશભાઈ દેવજીભાઈ વાણંદ (55) બાઈક લઈને વેગડવાવ રોડેથી જતાં હતા ત્યારે ભવાનીનગર ઢોરા પાસે ઓચિંતા બાઈકની આડે ખુંટીયો આવ્યો હતો જેથી કરીને આધેડને ગંભીર ઇજા થયેલ હતી માટે તેને સારવાર માટે ખસેડાયા હતા અને સારવાર કારગત ન નિવડતા રમેશભાઈ દેવજીભાઈ વાણંદનું મોત નિપજ્યું છે. જેની પોલીસને જાણ કરવામાં આવતા હળવદ પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News