મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ગણતંત્ર દિવસની યાદગાર ઉજવણી કરાઇ


SHARE











મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ગણતંત્ર દિવસની યાદગાર ઉજવણી કરાઇ

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા 76માં ગણતંત્ર દિવસની યાદગાર ઉજવણી કરવામાં આવી હતી. અને સંસ્થાના બંને યુનિટમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જેમાં આરએસએસના જિલ્લા બૌધિક પ્રમુખ જિતેન્દ્રભાઈ વિરમગામાના હસ્તે વિરપર બ્રાન્ચ તથા મોરબી બ્રાન્ચ પર એક્સ આર્મી મેન મજબૂતસિંહ ઝાલાના હસ્તે રાષ્ટ્રીય ધ્વજને લહેરાવીને સલામી સપવામાં આવી હતી. ત્યાર બાદ NCC બોયઝ  બટાલિયન તથા ગર્લ્સ બટાલિયન દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ કરવામાં આવી હતી. તે ઉપરાંત દેશભક્તિને ઉજાગર કરતાં સાંસ્કૃતિક કાર્યક્રમો કે.જી. થી કૉલેજ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા સાથે સાથે ઈનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શાળાનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓનું સિલ્ડ ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તથા જાહેર પરીક્ષામાં ટોપ કરનાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને  નવાજવામાં આવ્યા હતા આ તકે જિતેન્દ્રભાઈ વિરમગામા અને મજબૂજસિંહ ઝાલાએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા. તો સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાસંઘને સંસ્કાર ઘડતર કરતી ઉત્તમ સંસ્થા ગણાવી અને બાળકોને પોતાના વ્યક્તિત્વ વિકાસ માટે સંઘમાં જોડાવા આહ્વાન કર્યું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તથા શ્રીમતી રંજનબેન પી. કાંજીયાએ દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News