મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ગણતંત્ર દિવસની યાદગાર ઉજવણી કરાઇ


SHARE











મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ગણતંત્ર દિવસની યાદગાર ઉજવણી કરાઇ

મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા 76માં ગણતંત્ર દિવસની યાદગાર ઉજવણી કરવામાં આવી હતી. અને સંસ્થાના બંને યુનિટમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જેમાં આરએસએસના જિલ્લા બૌધિક પ્રમુખ જિતેન્દ્રભાઈ વિરમગામાના હસ્તે વિરપર બ્રાન્ચ તથા મોરબી બ્રાન્ચ પર એક્સ આર્મી મેન મજબૂતસિંહ ઝાલાના હસ્તે રાષ્ટ્રીય ધ્વજને લહેરાવીને સલામી સપવામાં આવી હતી. ત્યાર બાદ NCC બોયઝ  બટાલિયન તથા ગર્લ્સ બટાલિયન દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ કરવામાં આવી હતી. તે ઉપરાંત દેશભક્તિને ઉજાગર કરતાં સાંસ્કૃતિક કાર્યક્રમો કે.જી. થી કૉલેજ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા સાથે સાથે ઈનામ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ શાળાનું નામ રોશન કરનારા વિદ્યાર્થીઓનું સિલ્ડ ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તથા જાહેર પરીક્ષામાં ટોપ કરનાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને  નવાજવામાં આવ્યા હતા આ તકે જિતેન્દ્રભાઈ વિરમગામા અને મજબૂજસિંહ ઝાલાએ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા. તો સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાસંઘને સંસ્કાર ઘડતર કરતી ઉત્તમ સંસ્થા ગણાવી અને બાળકોને પોતાના વ્યક્તિત્વ વિકાસ માટે સંઘમાં જોડાવા આહ્વાન કર્યું હતું. આ તકે સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તથા શ્રીમતી રંજનબેન પી. કાંજીયાએ દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News