મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

નવલખી બંદર ઉપર ટ્રક હેઠળ કચડાઈ જવાથી મોરબીના યુવાનનું મોત


SHARE













નવલખી બંદર ઉપર ટ્રક હેઠળ કચડાઈ જવાથી મોરબીના યુવાનનું મોત

મોરબીના નવલખી બંદર ઉપર ટ્રક નીચે કચડાઈ જવાના કારણે મોરબીમાં રહેતા યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને પીએમ માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા રાજેશભાઈ ગોગાભાઈ દેગામા (47) નામનો યુવાન નવલખી બંદર ખાતે હતો ત્યારે ત્યાં ટ્રક હેઠળ કચડાઈ જવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્મતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ કલ્પેશભાઈ ગાંભવા ચલાવી રહ્યા હોય તેઓની પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક રાજેશભાઈ દેગામા નવલખી બંદર ખાતે કોલસા વીણવાનું કામ કરી રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ટ્રક હેઠળ કચડાઈ જવાના કારણે તેનું મોત થયું હતું.

ટ્રકમાં આગ

નવલખી બંદર ખાતે આવેલ જેટી ખાતે કોઈ કારણોસર ટ્રક નંબર જીજે 36 બી 1226 માં આગ લાગી હતી જેથી ટ્રક સળગી ગયો હતો અને આ આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો ચલાવીને આગ કાબુમાં લેવામાં આવી હતી જોકે ટ્રકમાં લાગેલ આગના કારણે ટ્રકમાં નુકસાન થયું હતું અને આ અંગેની માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ થઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News