મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી
Breaking news
Morbi Today

મોરબીની પંચવટી સોસાયટીમાં પીવાનું પાણી પહોચડવા કમિશ્નરને રજૂઆત


SHARE











મોરબીની પંચવટી સોસાયટીમાં પીવાનું પાણી પહોચડવા કમિશ્નરને રજૂઆત

મોરબી મહાપાલિકા વિસ્તારમાં આવેલા પંચવટી સોસાયટીના અમુક ઘરોમાં ૨૦૧૨ થી આજ દિવસ સુધી પીવાનું પાણી મળતું નથી જેની અનેક વખત પાલિકા હતી ત્યારે રજૂઆતો કરવામાં આવી હતી જો કે, કોઈ કામ કરવામાં આવ્યું નથી ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોનો પાણીનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં આવેલ તેવી માંગ કરી છે.

મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કાન્તીલાલ ડી. બાવરવાએ હાલમાં મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નીલ ખરેને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા ભીલા ચેતનકુમાર મનસુખભાઈના કહેવા મુજબ આ સીસાયટી કાયદેસરનું નગરપાલિકા હસ્તકનું પાણીનું નળ કનેક્શન ધરાવે છે. જો કે, વર્ષ ૨૦૧૨ થી આજ દિવસ સુધીમાં અવાર નવાર રજુઆતો કરેલ છે તો પણ પાણીના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યારે મહાપાલિકા દ્વારા પાણીનો પ્રશ્ન વહેલી તકે ઉકેલવામાં આવે તેવી માંગ કરી છે અને જો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં માનવ અધિકારના રક્ષણ  માટે ના છુટકે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News