મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની પંચવટી સોસાયટીમાં પીવાનું પાણી પહોચડવા કમિશ્નરને રજૂઆત


SHARE













મોરબીની પંચવટી સોસાયટીમાં પીવાનું પાણી પહોચડવા કમિશ્નરને રજૂઆત

મોરબી મહાપાલિકા વિસ્તારમાં આવેલા પંચવટી સોસાયટીના અમુક ઘરોમાં ૨૦૧૨ થી આજ દિવસ સુધી પીવાનું પાણી મળતું નથી જેની અનેક વખત પાલિકા હતી ત્યારે રજૂઆતો કરવામાં આવી હતી જો કે, કોઈ કામ કરવામાં આવ્યું નથી ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોનો પાણીનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવામાં આવેલ તેવી માંગ કરી છે.

મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કાન્તીલાલ ડી. બાવરવાએ હાલમાં મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નીલ ખરેને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા ભીલા ચેતનકુમાર મનસુખભાઈના કહેવા મુજબ આ સીસાયટી કાયદેસરનું નગરપાલિકા હસ્તકનું પાણીનું નળ કનેક્શન ધરાવે છે. જો કે, વર્ષ ૨૦૧૨ થી આજ દિવસ સુધીમાં અવાર નવાર રજુઆતો કરેલ છે તો પણ પાણીના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું નથી ત્યારે મહાપાલિકા દ્વારા પાણીનો પ્રશ્ન વહેલી તકે ઉકેલવામાં આવે તેવી માંગ કરી છે અને જો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં માનવ અધિકારના રક્ષણ  માટે ના છુટકે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News