મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી એ ડિવિઝનના પીઆઇ હકુમતસિંહ જાડેજાની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો: લાગણીસભર દ્રશ્યો સર્જાયા


SHARE











મોરબી એ ડિવિઝનના પીઆઇ હકુમતસિંહ જાડેજાની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો: લાગણીસભર દ્રશ્યો સર્જાયા

મોરબી સહિત કોઈપણ જગ્યાએ ટૂંકા સમયમાં સારી કોઈપણ પ્રકારના વિવાદ કામગીરી કરનારા અધિકારીઓની બદલી કરવામાં આવે છે ત્યારે સ્વભાવિક રીતે લાગણીસભર દ્રશ્યો સર્જાતા હોય છે આવો જ ઘાટ મોરબીમાં એ ડિવિઝનના પીઆઇ હકુમતસિંહ જાડેજા બદલી થતાં વિદાય સમરોહ સમયે યોજાયો હતો કેમ કે, બે મર્ડરના ડિટેકશન, લવ જેહાદ, વ્યાજખોરોને ડામવા સહિતની તમામ બાબતોમાં તેમની કાબિલેદાદ કામગીરી હતી તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા તાજેતરમાં જીલ્લામાં સાત પીઆઇની બદલી કરવામાં આવી હતી જેમાં મોરબી એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહની બદલી વાંકાનેર ખાતે કરવામાં આવી છે જેથી કરીને તેને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારોહ યોજાયો હતો જેમાં ડીવાયએસપી પી.એ.ઝાલા સહિતના અધિકારીઓ અને વકીલો, ઉદ્યોગકારો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અને પીઆઇ હકૂમતસિંહ જાડેજાને પોલીસ અધિકારીઓ અને જવાનોએ પુષ્પવર્ષા કરીને તેમજ આતિશબાજી કરીને વિદાય આપી હતી ત્યારે કેટલાક કર્મચારીઓની આંખના ખૂણા ભીના થઈ ગયા હતા.

મોરબી એ ડિવિઝનમાં હકૂમતસિંહ જાડેજાએ પોણા બે વર્ષ સુધી ફરજ બજાવી છે તે દરમ્યાન લવ જેહાદ, વ્યાજખોરો, દારૂ, જુગાર, રોમિયોગીરી વિગેરેમાં કાબિલેદાદ કહી શકાય તેવી કામગીરી કરી હતી અને ખાસ કરીને શહેરમાં ગુનેગારોને ડામવા માટે તેઓની મહવની ભૂમિકા રહી હતી અને તેઓના કાર્યકાળમાં થયેલા ડિટેકશનની વાત કરીએ તો મોરબીના લીલાપર કેનાલ પાસે મહિલાની કોહવાય ગયેલી લાશ મળી આવી હતી. અને મહિલાના હાથ પર માત્ર નામ જ ત્રોફાવેલું હતું. તેના આધારે મહિલાની ઓળખ કરીને આરોપીની ધરપકડ કરી હતી. આવી જ રીતે મોરબીના વાવડી પાસે ઓફિસે લેણી રકમ લેવા ગયેલા યુવાનની હત્યા કરવામાં આવી હતી અને ત્યાર બાદ લાશને જમીનમાં દાટી દીધી હતી તે ગુનામાં પોલીસ પુત્રની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે. 




Latest News