મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં મોરબી : આપત્તિ વ્યવસ્થાપન અને જન સુરક્ષા માટે હળવદના રણમલપુર ખાતે આઈઓસી દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના ખરેડાથી વાંકડા જવાના રસ્તા ઉપર રિક્ષા પલ્ટી જતાં બે મહિલા સહિત ઇજા પામેલા ત્રણ વ્યક્તિ સારવારમાં


SHARE











મોરબીના ખરેડાથી વાંકડા જવાના રસ્તા ઉપર રિક્ષા પલ્ટી જતાં બે મહિલા સહિત ઇજા પામેલા ત્રણ વ્યક્તિ સારવારમાં

મોરબી તાલુકાના ખરેડા ગામથી વાંકડા ગામ તરફ જવાના રસ્તા ઉપર હનુમાન ધાર પાસે રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી આ બનાવમાં બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા પાર્વતીબેન બળદેવભાઈ અઘારા (38), અશોકભાઈ કરસનભાઈ અઘારા (65) અને મીનાબેન અશોકભાઈ અઘારા (50) નામના ત્રણ વ્યક્તિઓને અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જીલુભાઈ ગોગરા દ્વારા કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ખરેડા ગામેથી રિક્ષામાં બેસીને ત્રણેય વ્યક્તિઓ વાંકડા ગામ તરફ જતા રસ્તા ઉપર હનુમાન ધાર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ત્રણેયને ઈજા થયેલ હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.

બાળક સારવારમાં

મોરબીના ધરમપુર રોડ ઉપર આવે લાભનગરમાં રહેતો કોટડીયા આદિત્ય ઘોઘાભાઈ નામના બાળકને શેરીમાં ઘર પાસે રમતો હતો ત્યારે કોઈ અજાણીકારના ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માત થયો હતો જેમાં તેને ઇજા થયેલ હતી માટે બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી કરી હતી. 




Latest News