મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત


SHARE







હળવદમાં વાડીએ ઝેરી દવા પી ગયેલ સગીરાનું સારવારમાં મોત

હળવદમાં વાડીમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની સગીરાકોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજયું છે જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની બંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં રહેતા અને મજૂરી કામ કરતા ખૂલસિંગ ધ15 વર્ષની દીકરી પ્યારીબેનએ ગત તા. 9/1 ના રોજ સવારે 9:00 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજ્યું હતું જેથી પ્રથમ મોરબી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતના બનાવમાં ઇજા

ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામે રહેતા વનીતાબેન વાસુદેવભાઈ દેત્રોજા (42) અને બળદેવ વાસુદેવભાઈ દેત્રોજા (16) નામના માતા પુત્ર રામનગર ખીજડીયા વચ્ચે તળાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેઓને ઈજા થહોવાથી તે બંનેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને બનાવની પોલીસને જાણ કરી હતી. આવી જ રીતે ટંકારા મોરબી રોડ પર આવેલ ધ્રુવનગર પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ટંકારામાં આવેલ સંધિવાસમાં હોસ્પિટલ રોડ ઉપર રહેતા હનીફ અલ્લારખા ભૂંગર (45) નામના યુવાનને ઇજા થયેલ હતી જે બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે તો કચ્છ જિલ્લાના રાપર ખાતે રહેતા પ્રવીણભાઈ લાખાભાઈ ઠાકોર (18) નામના યુવાનને મોરબીના  ભરતનગર ગામ પાસે દ્વારકાધીશ હોટલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News