સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચીખલી ગામના પિતા પુત્રને રખોપુ કરવા અને ચરાવવા આપેલ વધુ 50 ગાયોની કતલ !: ગુનો નોંધાયો


SHARE











માળીયા (મી)ના ચીખલી ગામના પિતા પુત્રને રખોપુ કરવા અને ચરાવવા આપેલ વધુ 50 ગાયોની કતલ !: ગુનો નોંધાયો

માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામ પાસે આવેલ રણ વિસ્તારમાં ચોમાસા દરમિયાન ગાયોને ચરાવવા માટે અને રખોપુ કરવા માટે માલધારીઓ પોતાની ગાયો ત્યાં રહેતા પિતા પુત્રને વિશ્વાસે સોંપતા હતા જોકે રખોપુ કરવા અને ચરાવવા માટે થઈને આપેલી ગાયોને આ પિતા પુત્ર દ્વારા કતલ કરવા માટે વેચી નાખવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું તેવામાં ધાંગધ્રા તાલુકાના પીપળા ગામના રહેવાથી માલધારી દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓની 52 પૈકીની 50 ગાયો આ પિતા પુત્રએ પરત ન આપીને તેઓની સાથે વિશ્વાસઘાત કરેલ છે અને આ 50 ગાયોની કતલ કરવામાં આવી હોય હાલમાં માલધારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ધાંગધ્રા તાલુકાના પીપળા ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા ગોપાલભાઈ સીધાભાઈ ગોલતર (42)એ માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક આમીનભાઈ લધાણી અને તેના પિતા અમીનભાઈ કરીમભાઈ લધાણી રહે. બંને ચીખલી ગામ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવી છે કે તેઓએ તથા સાહેદે પોતાની કુલ મળીને 52 ગયો આ પિતા પુત્રને ચીખલી ગામના રણ વિસ્તારમાં ચરાવવા માટે અને રખોપુ કરવા માટે થઈને આપી હતી જે કુલ મળીને અઢી લાખ રૂપિયાની કિંમતની ગાયો ફરિયાદી તથા સાહેદ જ્યારે પરત લેવા માટે ગયા ત્યારે સરખો જવાબ આપ્યો ન હતો અને તમામ ગાયો ચીખલીના રણ વિસ્તારમાં ચરવા માટે જતી રહી છે તેઓ જવાબ આપ્યો હતો. જોકે ત્યાર પછી બીજી વખત પણ ગાયો લેવા માટે થઈને આ માલધારી ગયા ત્યારે ગાયો પરત ન આપીને તેઓની સાથે વિશ્વાસઘાત કરેલ છે અને આ ગુમ થયેલી ગાયોની કતલ થઈ હોય હાલમાં ભોગ બનેલ માલધારી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

પહેલા ખાખરેચી ગામના બે માલધારીની 13 ગાયોની કતલની વિગત સામે આવી હતી

માળીયા તાલુકાના ખાખરેચી ગામના બે માલધારીઓ દ્વારા તેમની 50 જેટલી ગાયો આ બંને શખ્સોને ચરાવવા માટે થઈને આપી હતી અને તે પૈકીની 14 ગાયો ગુમ થયેલ હતો જેમાંથી એક ગાય પછી મળી ગયેલ છે જો કે, 13 ગાયોની કતલ થઈ હોવાથી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે આ બંને આરોપી ઉપરાંત અન્ય પાંચ આરોપીઓને પકડ્યા હતા અને તેના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા અને રીમાન્ડ પુરા થતા તેને મોરબી સબજેલ હવાલે કરવામાં આવ્યા હતા.

હળવદ તાલુકાના બે માલધારીઓની 45 ગાયોની કતલ કરાયાની ફરીયાદ નોંધાઇ હતી

હળવદના નવા અમરાપર ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા મેહુલભાઈ અરજણભાઈ ગોલતર (21)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક આમીન લધાણી અને આમીન કરીમ લધાણી રહે. બંને ચીખલી વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, સાતેક મહિના પહેલા ફરિયાદીએ પોતાની માલિકીની 25 ગાય તેમજ હળવદના મિયાણી ગામે રહેતા જીવણભાઈ ખેતાભાઇ નામના માલધારીએ પોતાની માલિકીની 20 ગાય આમ કુલ મળીને 45 ગાયોને મુસ્તાક તથા તેના પિતા આમીનને રખોપુ કરવા અને ચરાવવા માટે થઈને તેઓ ઉપર વિશ્વાસ મૂકીને આપી હતી અને તેના બદલામા દરેક ગાય દીઠ તેને મહિને 300 રૂપિયા લેખે વળતર પણ આપવામાં આવતું હતું જોકે આ 45 ગાયો મુસ્તાક અને તેના પિતા દ્વારા માલધારીઓને પરત આપી ન હતી અને 4.50 લાખ રૂપિયાની કિંમતની ગાયોને આરોપીઓએ કતલ કરવા માટે થઈને આપી દીધી હોવાનું સામે આવ્યું હતુ






Latest News