મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં પેટકોક ચોરીના કેસમાં પકડાયેલ ગોડાઉન માલીકનો જામીન પર છુટકારો


SHARE













મોરબીમાં પેટકોક ચોરીના કેસમાં પકડાયેલ ગોડાઉન માલીકનો જામીન પર છુટકારો

મોરબીમાં ગાળા ગામ પાસે એસએમસીની ટીમે રેડ કરીને પેટકોક ચોરીનો પર્દાફાશ કર્યો હતો જે ગુનામાં પકડાયેલ ગોડાઉન માલીકના જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલોને ધ્યાને લઈને તેને જામીન મુક્ત કરવાનો કોર્ટે હુકમ કરેલ છે.

મોરબી તાલુકાના ગાળા ગામ પાસે ગોડાઉનમાં પેટકોકની ચોરી કરવામાં આવતી હતી અને ઈમ્પોર્ટ કોલસો ગાડીઓના ડ્રાઈવરો સાથે મળીને ચોરી કરતાં હતા અને ત્યાર બાદ તેમાં નબળી ગુણવતાનો કોલસો ઉમેરવામાં આવતો હતો. જેથી કુલ મળીને 3.57 કરોડથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો. અને મોરબી તાલુકા પોલીસ  ચોરી, વિશ્વાસધાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં આરોપી દિપકભાઈ પ્રભાતભાઈ રાઠોડની ધરપકડ કરેલ હતી. અને ત્યાર બાદ આરોપી દિપકભાઈ રાઠોડે તેના વકીલ જીતેનભાઈ અગેચાણીયા મારફત ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફે ધારદાર કાયદાકીય દલીલ કરેલ હતી. ત્યાર બાદ બંને પક્ષની દલીલના અંતે હાઈકોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના યુવા વકીલ જીતેનભાઈ ડી. અગેચાણીયા, સીનીયર વકીલ દિલીપભાઈ અગેચાણીયા, હાઈકોર્ટના વકીલ ગૌતમભાઈ એચ. ગઢવી, રવી ચાવડા, કુલદીપ ઝીઝુવાડીયા, રોકાયેલા હતા.






Latest News