ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક મળી: મહાપાલિકાની પહેલી બોડી કોંગ્રેસની બને તેવો સંકલ્પ કર્યો


SHARE











મોરબીમાં કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક મળી: મહાપાલિકાની પહેલી બોડી કોંગ્રેસની બને તેવો સંકલ્પ કર્યો

મોરબીના શનાળા રોડે આવેલ ક્રિષ્ણ હૉલ ખાતે કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં આગમી સમયમાં આવનાર મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પ્રથમ બોડી કોંગ્રેસની બને તેના માટેનો સંકલ્પ કર્યો હતો. 

મોરબીમાં રાષ્ટ્રીય  કૉંગ્રેસ સેવા દળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં રાષ્ટ્રીય કૉંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખ લાલજી દેસાઈ, પ્રદેશ કોંગ્રેસ સેવાદળના પ્રમુખ પ્રગતિબેન આહીર તેમજ  ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સેવા દળના પ્રભારી દેવેન્દ્ર શર્મા હાજર રહ્યા હતા આ કાર્યક્ર્મમાં ભાજપ ઉપર સત્તાના નશામાં તાનાશાહીનો આરોપ લગાવામાં આવ્યો હતો. અને ભાજપની નીતિનો વિરોધ કર્યો હતો.સાથે સાથે તેઓએ કોંગ્રેસ કાર્યકરોને લોક પ્રશ્નો લઇ છેવાડાના લોકો સુધી પહોંચવા અને કોંગ્રેસનો હાથ મજબૂત કરવા અપીલ કરી હતી. તેમજ આવનારી મહાપાલિકાની જ્યારે ચુંટણી થાય ત્યારે પ્રથમ બોડી કોંગ્રેસ બહુમતીથી ચૂંટાય અને પ્રથમ જનરલ બોર્ડ કોંગ્રેસનું મળે તેવો સંકલ્પ કર્યો હતો. અને કોંગ્રેસ કાર્યકરોને તેના માટે સતત પ્રયત્નશીલ રહેવા અપીલ કરી હતી.

આ તકે લાલજીભાઇ દેસાઈએ પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સત્તાના નશામાં ચૂર થઈ ગયા છે અને લોકોને અલગ અલગ સમસ્યા અને ગુનેગારો સામે મૂકી દીધા છે. મહાત્મા ગાંધીએ દેશની અખંડિતતા માટે બલિદાન આપ્યું, કોંગ્રેસના ઇન્દિરા ગાંધીએ ખાલિસ્તાન સામે લડત આપી  શહીદી વ્હોરી, રાજીવ ગાંધી દેશના દક્ષિણ ભાગને બચવવા પોતાના જીવની આહુતિ  જ્યારે ભાજપે ત્રણ મોદી અપાયા એક નીરવ મોદી બેંકના રૂપિયા લઈ વિદેશ ભાગી ગયોબીજો લલિત મોદી ક્રિકેટમાં કરોડોનું કૌભાંડ કરી ભાગી ગયો અને ત્રીજો મોદી નોટ બંધી જીએસટી બેરોજગારી અને ધર્મના નામે લડાઈ ચલાવી પ્રજાને તરછોડી દીધી છે.






Latest News