મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં અવારનવાર થતી ગોહત્યા રોકવા કડક કાર્યવાહી કરવાની રમેશભાઈ રબારીની માંગ


SHARE













મોરબી જિલ્લામાં અવારનવાર થતી ગોહત્યા રોકવા કડક કાર્યવાહી કરવાની રમેશભાઈ રબારીની માંગ

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગાની હત્યા કરવામાં આવી રહી છે અને અવરવર ગૌહત્યાના બનાવ સામે આવે છે ત્યારે તાજેતરમાં ખાખરેચી ગામના બે માલધારીઓની ગાયોની કતલ કરવામાં આવી છે જેથી કરીને ગાયની હત્યા કરનારા આરોપીઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ તેવી માંગ કરી છે.

હાલમાં મોરબી જિલ્લાના જે ગૌહત્યાની માહિતી સામે આવેલ છે અને ફરિયાદ આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરેલ છે જેથી પોલીસને મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ અભિનંદન આપેલ છે. અને કહ્યું હતું કે, 13 ગાયો લાપતા છે અને અન્ય માલધારી સમાજના લોકોની ગાયો પણ ગુમ છે ત્યારે ગાયોની હત્યા થઈ હોય તેવી શંકા છે જેથી કરીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ફરી વખત આવી ઘટના મોરબી જિલ્લામાં કે અન્ય વિસ્તારોમાં ન બને તે માટે ગાયોની હત્યા કરનારા સામે આકરા પગલાં લઈને તેના જાહેરમાં વરઘોડા કાઢવામાં આવે તેવી માંગ કરી છે. અને ગાયની હત્યા કરનાર આરોપીને વકીલ ન મળે તેવી ગોઠવણ વકીલ મંડળ દ્વારા કરવી જરૂરી છે જેથી કરીને મોરબી બાર એસો.  દ્વારા આ મુદે ઠરાવ કરવામાં આવે તેવી પણ અપીલ કરેલ છે.






Latest News