મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં બંધ પડેલ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરવા અને નિયમાનુસાર કામ કરાવવા સ્થાનિકોની માંગ


SHARE













મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં બંધ પડેલ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરવા અને નિયમાનુસાર કામ કરાવવા સ્થાનિકોની માંગ

મોરબી બોરીયાપાટી વિસ્તારના રહીશો દ્વારા મોરબી મહાનગરપાલિકા કમીશ્નરને લેખીતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.જેમાં તે વિસ્તારમાં ચાલતા ભુગર્ભ ગટરના કામમાં થતી ગેરરીતિ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે.

આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી મોરબીની આજુબાજુના વાડી વિસ્તારમાં ભુગર્ભ ગટર નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત બોરીયાપાટી વિસ્તારમાં પણ ભુગર્ભ ગટર નાખવાની કામગીરી હાલમાં ચાલુ છે.જેમાં પ્લાન અને વર્ક ઓર્ડર મુજબ કામગીરી ન થતી હોય તેમજ શેરી અંદરની લાઈન ૮ ઈંચની અને મેઈન લાઈન પણ ૮ ઈંચની જ નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હોય જેના વિરોધમાં સથાનીકો દ્વારા મેઈન લાઈન ૨૪ ઈંચની નાખવામાં આવે તેમજ વર્ક ઓર્ડર અને નિયત પ્લાન મુજબ કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

જેના અનુસંધાને અગાઉ પણ લેખીતમાં કલેકટર, મામલતદાર અને ચીફ ઓફિસરને જાણ કરવામાં આવી હતી.પરંતુ આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.અને આજની તારીખે ભુગર્ભ ગટર નાખવાની કામગીરી બંધ હાલતમાં છે.જે અનુસંધાને મોરબી મહાનગરપાલિકાના નવનિયુકત કમિશનરને વધુ એક વખત લેખીત આવેદનપત્ર આપવામાં આવ્યું છે.સ્થાનીકોની માંગણી સંતોષાય તેવી આશા લોકો નવનિયુક્ત કમીશ્નર પાસે રાખી રહ્યા છે અને ભુગર્ભ ગટર નાખવાની કામગીરી ફરીથી ચાલુ થાય તેમજ નિયમાનુસારની કામગીરી થાય તેવી આશા રહેવાસીઓ તંત્ર પાસે રાખી રહ્યા છે.






Latest News