મોરબીના લક્ષ્મીનગર અને ભરતનગર ગામ પાસેથી અન અધિકૃત રીતે ખનીજ પરિવહન કરતાં ચાર વાહન પકડાયા
મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં બંધ પડેલ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરવા અને નિયમાનુસાર કામ કરાવવા સ્થાનિકોની માંગ
SHARE
મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં બંધ પડેલ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરવા અને નિયમાનુસાર કામ કરાવવા સ્થાનિકોની માંગ
મોરબી બોરીયાપાટી વિસ્તારના રહીશો દ્વારા મોરબી મહાનગરપાલિકા કમીશ્નરને લેખીતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.જેમાં તે વિસ્તારમાં ચાલતા ભુગર્ભ ગટરના કામમાં થતી ગેરરીતિ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે.
આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી મોરબીની આજુબાજુના વાડી વિસ્તારમાં ભુગર્ભ ગટર નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત બોરીયાપાટી વિસ્તારમાં પણ ભુગર્ભ ગટર નાખવાની કામગીરી હાલમાં ચાલુ છે.જેમાં પ્લાન અને વર્ક ઓર્ડર મુજબ કામગીરી ન થતી હોય તેમજ શેરી અંદરની લાઈન ૮ ઈંચની અને મેઈન લાઈન પણ ૮ ઈંચની જ નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હોય જેના વિરોધમાં સથાનીકો દ્વારા મેઈન લાઈન ૨૪ ઈંચની નાખવામાં આવે તેમજ વર્ક ઓર્ડર અને નિયત પ્લાન મુજબ કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
જેના અનુસંધાને અગાઉ પણ લેખીતમાં કલેકટર, મામલતદાર અને ચીફ ઓફિસરને જાણ કરવામાં આવી હતી.પરંતુ આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.અને આજની તારીખે ભુગર્ભ ગટર નાખવાની કામગીરી બંધ હાલતમાં છે.જે અનુસંધાને મોરબી મહાનગરપાલિકાના નવનિયુકત કમિશનરને વધુ એક વખત લેખીત આવેદનપત્ર આપવામાં આવ્યું છે.સ્થાનીકોની માંગણી સંતોષાય તેવી આશા લોકો નવનિયુક્ત કમીશ્નર પાસે રાખી રહ્યા છે અને ભુગર્ભ ગટર નાખવાની કામગીરી ફરીથી ચાલુ થાય તેમજ નિયમાનુસારની કામગીરી થાય તેવી આશા રહેવાસીઓ તંત્ર પાસે રાખી રહ્યા છે.