મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા


SHARE













મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહી આપતા ઘી નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮નો કેસ કોર્ટમાં દાખલ કરેલ હતો અને આ કેસ ચાલી જતાં આરોપીને દોષીત ઠરાવી એક વર્ષ સજા તથા ફરીયાદીને ચેકની રકમ પાંચ લાખ તેમજ એક લાખ વળતર પેટે ચુકવાનો તથા રકમ ન ચુકવે તો વધુ ૯૦ દિવસની સજાનો હુકમ કરેલ છે.

આ કામના આરોપીને પૈસાની જરૂરીયાત હોવાથી તેમના મિત્ર દેવાણંદભાઈ બાબુભાઈ કુંભરવાડીયા પાસેથી હાથ ઉછીના લીધેલા ત્યારબાદ રકમ પરત માગતા આરોપી રાજેશ નટવરલાલ કાલરીયા એ લેણી રકમ ચુકવવા ચેક આપેલ હતો જે ચેક રીટર્ન થતા આરોપી વિરુધ્ધ નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ની ફરીયાદ દાખલ થયેલ હતી જે કેસ ચાલી ગયો હતો તેમાં ફરીયાદીવતી મોરબી જીલ્લાના વકીલ નીતીનકુમાર અમૃતલાલ પંડયા તથા યાશિકા મનસુખભાઈ દેવમોરારી રોકાયેલ હતા અને તેઓની દલીલ તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને કોર્ટએ આરોપીને દોષીત ઠરાવી એક વર્ષ સજા તથા ફરીયાદીને ચેકની રકમ પાંચ લાખ તેમજ એક લાખનું વળતર આપવાનો ચુકાદો આપેલ છે અને રકમ ન ચુકવે તો વધુ ૯૦ દિવસની સજાનો હુકમ કરેલ છે.






Latest News