મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના માણેકવાડા ગામની પાસે રીક્ષા પલ્ટી મારી જતા બે લોકોને ઇજા


SHARE











મોરબીના માણેકવાડા ગામની પાસે રીક્ષા પલ્ટી મારી જતા બે લોકોને ઇજા

મોરબીના માણેકવાડા ગામ પાસે રીક્ષા પલ્ટી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં બાલકૃષ્ણભાઈ છગનભાઈ ગોહિલ (૩૦) રહે.જામ દુધઈ તા.જોડીયા જી.જામનગર તથા મહેશ બાબુભાઈ જાદવ (૩૦) રહે. જામનગર વાળાઓને ઇજા થતી અત્રેની સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના લીલાપર રોડ ચાર માળીયા પાસેથી બાઈક લઈને જતા કલ્પેશ સુરેશભાઇ સોલંકી નામના ૩૧ વર્ષના યુવાનને અજાણ્યા ટ્રક હડફેટે ઈજા થઈ હતી.જેથી સારવાર માટે ખસેડાયો હતો.

બાળક સારવારમાં

મોરબીના ખાનપર ગામે રહેતા પરિવારનો અમિત અમરશીભાઈ મોહનિયા નામનો પાંચ વર્ષનો બાળક ગરમ પાણીમાં દાઝી ગયો હતો.જેથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.તેમજ ઘુંટું ગામે થયેલ મારામારીના બનાવમાં અર્પિત સુરેશભાઈ બાવરવા નામના ૨૦ વર્ષના યુવાનને ઇજા થતા સારવાર માટે દવાખાને લઇ જવામાં આવ્યો હતો.તેમજ મોરબી-માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામે રહેતા હંસલભાઈ અરજણભાઈ કિશોરી નામના ૧૯ વર્ષના યુવાનને ટ્રેક્ટર લઈને જતા સમયે સામેથી આવેલ કન્ટેનરની સાથે અથડામણ થતાં ઇજા પામતા ૧૦૮ વડે સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.

વૃદ્ધ સારવારમાં

વાંકાનેરના ચંગાસર મંદિર પાસે રહેતા ઉદાભાઈ લખમણભાઇ ઠાકોર નામના ૬૩ વર્ષના વૃદ્ધ કોઈ કારણોસર દવા પી ગયા હતા.જેથી વાંકાનેર ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી કબીર ટેકરી ખાતે રહેતા મુમતાઝબેન હબીબભાઈ ચાનીયા નામના ત્રીસ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર તેઓના ઘરે ફિનાઇલ પી ગયા હતા.જેથી સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.તેમજ મોરબીના શનાળા ગામે ચોકડી પાસે આવેલ સીએનજી પંપ નજીક થયેલ મારામારીના બનાવમાં સોનલબેન હમીરભાઈ વાઘેલા (૨૭) અને ભગુ નાથાભાઈ વાઘેલા (૧૫) નામના બે લોકોને ઇજાઓ થતા બંનેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.




Latest News