મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરના રૂમમાં કોલસાની સગડી રાખીને સૂતેલા વૃદ્ધનું ધુમાડાની ગુંગણામણથી મોત


SHARE













મોરબીમાં ઘરના રૂમમાં કોલસાની સગડી રાખીને સૂતેલા વૃદ્ધનું ધુમાડાની ગુંગણામણથી મોત

મોરબી નજીકના શનાળા ગામે આવેલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતા વૃદ્ધ રૂમમાં હતા અને રૂમમાં કોલસાની સગડી ચાલુ રાખી હતી અને સુતા હતા દરમિયાન રૂમનો દરવાજો બંધ હોવાથી ધુમાડાના લીધે રૂમમાં તેઓ બેભાન થઈ જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની મૃતકના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના સનાળા ગામે આવેલ નવા પ્લોટ વિસ્તારમાં દેવ શ્રી પેલેસ ફ્લેટ નં-502 માં રહેતા કાંતિલાલ રૂપચંદભાઈ કોઠારી (75) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરની અંદર ફ્લેટમાં હતા અને ત્યાં રૂમમાં કોલસાની સગડી ચાલુ રાખી હતી અને રૂમમાં સુતા હતા દરમિયાન રૂમ બંધ હોય રૂમની અંદર ધુમાડાના લીધે ગુંગણામણના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા ત્યારબાદ તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મૃતકના દીકરા પારસ કાંતિલાલ કોઠારીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News