મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં બાગ બગીચા સહિતની સારી સુવિધા આપશે તો ધારાસભ્યનું નહેરૂ ગેઇટ ચોકમાં કરીશું સન્માન: સામાજિક કાર્યકરો 


SHARE







મોરબીમાં બાગ બગીચા સહિતની સારી સુવિધા આપશે તો ધારાસભ્યનું નહેરૂ ગેઇટ ચોકમાં કરીશું સન્માન: સામાજિક કાર્યકરો 

છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે તો પણ આજની તારીખે મોરબી અને માળિયા શહેર પ્રાથમિક સુવિધા માટે લોકોને હેરાન થવું પડે છે અને મોરબી શહેરમાં એકપણ ફરવા લાયક સ્થળ નથી જેથી કરીને આ બાબતે યોગ્ય કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકરોએ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશભાઇ, ગીરશભાઇ કોટેચાએ રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છે કે, મોરબી અને માળિયા શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને જિલ્લો બન્યો તેને 11 વર્ષ થઈ ગયેલ છે તો પણ મોરબી શહેર તથા માળિયા શહેરમાં પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને હેરાન થવું પડે છે અને મોરબી કે માળિયા શહેરમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એક પણ સારો બગીચો આપી શક્યા નથી.

રાજશાહીમાં જે બગીચાઓ હતા તેની યોગ્ય જાળવણી કરવામાં આવી નથી જેથી તે ખંઢેર બની ગયેલ છે. જેથી આ બંને શહેરમાં નવા બગીચા બનાવવામાં આવે તેવી માંગ કરી છે તેમજ મોરબીમાં વર્ષો જુનુ શોભેશ્વર રોડ પર પાલિકાએ બનાવેલ પીકનીક સેન્ટર આવેલ છે તે હાલમાં ખંઢેર હાલતમાં છે અને ત્યાં આવારા તત્વોએ કબજો કરી લીધેલ છે ત્યારે મોરબી જિલ્લાને 4  ધારાસભ્ય અને 3 સંસદ મળ્યા પણ એક સારો બગીચો કેમ ન મળ્યો તે સવાલ ઉઠી રહ્યો છે.

હાલમાં સારવાર માટે અને શિક્ષણ માટેની સારી સુવિધાઓ નથી અને રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા, ભૂગર્ભ ગટરની સમસ્યા તેમજ નહેરૂ ગેટની ઘડિયાળ પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે.ત્યારે લોકોની સુવિધાઓને વધારીને સારા બાગ સહિતની લોકોને સુવિધાઓ આપવામાં આવશે તો મોરબીના ધારાસભ્યનું નહેરૂ ગેઇટ ચોકમાં સન્માન કરવામાં આવશે તેમ સામાજિક કાર્યકરોએ જણાવ્યું છે.






Latest News