મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં બાગ બગીચા સહિતની સારી સુવિધા આપશે તો ધારાસભ્યનું નહેરૂ ગેઇટ ચોકમાં કરીશું સન્માન: સામાજિક કાર્યકરો 


SHARE











મોરબીમાં બાગ બગીચા સહિતની સારી સુવિધા આપશે તો ધારાસભ્યનું નહેરૂ ગેઇટ ચોકમાં કરીશું સન્માન: સામાજિક કાર્યકરો 

છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે તો પણ આજની તારીખે મોરબી અને માળિયા શહેર પ્રાથમિક સુવિધા માટે લોકોને હેરાન થવું પડે છે અને મોરબી શહેરમાં એકપણ ફરવા લાયક સ્થળ નથી જેથી કરીને આ બાબતે યોગ્ય કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકરોએ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશભાઇ, ગીરશભાઇ કોટેચાએ રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છે કે, મોરબી અને માળિયા શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે અને જિલ્લો બન્યો તેને 11 વર્ષ થઈ ગયેલ છે તો પણ મોરબી શહેર તથા માળિયા શહેરમાં પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને હેરાન થવું પડે છે અને મોરબી કે માળિયા શહેરમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એક પણ સારો બગીચો આપી શક્યા નથી.

રાજશાહીમાં જે બગીચાઓ હતા તેની યોગ્ય જાળવણી કરવામાં આવી નથી જેથી તે ખંઢેર બની ગયેલ છે. જેથી આ બંને શહેરમાં નવા બગીચા બનાવવામાં આવે તેવી માંગ કરી છે તેમજ મોરબીમાં વર્ષો જુનુ શોભેશ્વર રોડ પર પાલિકાએ બનાવેલ પીકનીક સેન્ટર આવેલ છે તે હાલમાં ખંઢેર હાલતમાં છે અને ત્યાં આવારા તત્વોએ કબજો કરી લીધેલ છે ત્યારે મોરબી જિલ્લાને 4  ધારાસભ્ય અને 3 સંસદ મળ્યા પણ એક સારો બગીચો કેમ ન મળ્યો તે સવાલ ઉઠી રહ્યો છે.

હાલમાં સારવાર માટે અને શિક્ષણ માટેની સારી સુવિધાઓ નથી અને રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા, ભૂગર્ભ ગટરની સમસ્યા તેમજ નહેરૂ ગેટની ઘડિયાળ પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે.ત્યારે લોકોની સુવિધાઓને વધારીને સારા બાગ સહિતની લોકોને સુવિધાઓ આપવામાં આવશે તો મોરબીના ધારાસભ્યનું નહેરૂ ગેઇટ ચોકમાં સન્માન કરવામાં આવશે તેમ સામાજિક કાર્યકરોએ જણાવ્યું છે.






Latest News